SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તારથી મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. ઉપર પ્રથમ શ્રોતેન્દ્રિયનો અવગ્રહ કહ્યો તેના ૧૨ પ્રકાર છે. જેમ અનેક પ્રકારનાં વાજિંત્ર વાગે છે અને અનેક મનુષ્યો સાંભળી રહ્યા છે. પણ તેમાંથી મતિજ્ઞાન ક્ષયોપશમ પ્રમાણે (૧) બહુ - કોઈ એક જ વખતે ઘણા શબ્દ ગ્રહણ કરે (૨) અબહુ - તે કોઈ થોડા શબ્દ ગ્રહણ કરે (૩) બહુવિધ - તે આ ઢોલ છે, આ ત્રાંસા છે વગેરે ભેદભાવ સહિત ગ્રહણ કરે (૪) અબહુવિધ - કોઈ ભેદભાવને સમજે નહિ, (૫) ક્ષિપ્ર - તે કોઈ શીઘ્રતાથી સમજે (૬) અપ્રિ - તે કોઈ વિલંબથી સમજે (૭) સલિંગ - તે કોઈ અનુમાનથી સમજે (૮) અલિંગ - તે કોઈ અનુમાન વિના સમજે (૯) સંદિગ્ધ - તે કોઈ શંકાયુક્ત સમજે (૧૦) અસંદિગ્ધ - તે કોઈ શંકા રહિત સમજે. (૧૧) ધ્રુવ - તે કોઈ એક જ વખતમાં બધું સમજી જાય અને (૧૨) અધ્રુવ - તે કોઈ વારંવાર જાણવાથી સમજે. જેવી રીતે આ શ્રોતેન્દ્રિયના અવગ્રહના ૧૨ બોલ એ પ્રમાણે જે ઉપર ૨૮ ભેદ કહ્યા છે તે દરેક બોલ ઉપર ૧૨ -૧૨ બોલ ઊતારવા એ રીતે ૨૮ X ૧૨ = ૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. આ ૩૩૬ ભેદ કૃતનિશ્ચિત (સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે તે કૃતનિશ્ચિત) મતિજ્ઞાનના જાણવા. હવે મતિજ્ઞાનનો બીજો પ્રકાર અમૃતનિશ્રિત (તે નહીં સાંભળ્યું, નહીં જોયું તો પણ તેમાં મતિ વિસ્તરે તે) મતિજ્ઞાન, તેના ચાર ભેદ તે ચાર પ્રકારની બુધ્ધિ (૧) ઔત્પાતિકી (કોઈ પ્રસંગ પર કાર્ય સિધ્ધ કરવામાં બુધ્ધિ એકાએક પ્રગટ થાય છે) (૨) વૈનાયિકી (ગુરુ આદિની વિનય ભક્તિ કરવાથી પ્રાપ્ત બુધ્ધિ) (૩) કાર્મિકી (જોતાં, લખતાં, ચીતરતાં, વણતાં વાવતાં આદિ અનેક શિલ્પકાળનો અભ્યાસ કરતાં કુશળ થાય તે) અને (૪) પારિણામિકી (વય પરિણમે તેમ બુધ્ધિ પરિણમે તથા બહુસૂત્રી સ્થવિર, પ્રત્યેક બુધ્ધ વગેરેને આલોચન કરતાં બુધ્ધિની વૃધ્ધિ થાય તે) આ પ્રમાણે કૃતનિશ્રિતના ૩૩૬ અને અશ્રુતનિશ્રિતના ૪ ભેદ મળી કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. (૨) શ્રુતજ્ઞાન – સાંભળવાથી કે દેખવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન તેના ૧૪ ભેદ. (૧) અક્ષર શ્રત - અ, ઈ, વગેરે સ્વર અને ક, ખ વગેરે વ્યંજન એ વડે જે જ્ઞાન થાય તે. (૨) અનક્ષર શ્રુત - તે અક્ષરના ઉચ્ચાર વગર ખાંસીથી, છીંકથી, શ્રી જૈન તત્વ સાર ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy