SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) લૌકિક - રાજા, શેઠ, સેનાપતિ હંમેશા સભામાં જઈને કરવા યોગ્ય કામ કરે તે લૌકિક દ્રવ્ય આવશ્યક (૨) કુબાવચનિક : જેઓ ઝાડની છાલ અને પાંદડાનાં વસ્ત્રો પહેરનાર (ચક્કચિરિયા) છે. મૃગચર્મ - વ્યાઘચર્મ રાખનારા છે, ભગવાં વસ્ત્ર પહેરનારા (પાંડુરંગા) છે, માત્ર નામધારી તાપસ (પાસસ્થા) છે,એવા અનેક જાતના સાધુ, વૈરાગીઓ, પોતાના નિત્ય નિયમ પ્રમાણે ૐકાર વગેરેનું ધ્યાન કરે, તેમ જ ક્રિયા કરે, તે કુટાવચનિક દ્રવ્ય આવશ્યક (૩) લોકોત્તર : જેઓ (ઇમે સમણગુણ મુક્કા) સાધુના ગુણોથી રહિત છે, (જોગ છકાય નિરભુકંપા) છ કાયના જીવોની દયા ન પાળનારા, (હયાઈવઉદ્ધ) ઘોડાની પેઠે ઉન્મત્ત, (ગયા ઈવ નિરંકુસા) હાથીની પેઠે અંકુશ રહિત, (ઘટ્ટા) શરીરની સુશ્રુષા ટાપટીપ કરે, (મઢા) મઠધારી, (તિપુટ્ટા) તપ રહિત, (પંડુર પટ્ટા) શ્વેત વસ્ત્રધારી, (જિણાણે આણા રહિતા) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા, અને (ઉભય કાલ આવસ્યગા ઠવંતિ) બન્ને વખત પ્રતિક્રમણ કરનારા છે તેને લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ ખરા સાધુના વેશમાં છે પણ સાધુના ગુણવાળા નથી. (૪) ભાવ નિક્ષેપ ઃ જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્ત બરાબર ઘટતું હોય તે ભાવનિક્ષેપ (વસ્તુનો નિજગુણ વસ્તુમાં હોય તેને ભાવ નિક્ષેપ કહે છે.) જીવનો નિજગુણ જે જ્ઞાન દર્શન વગેરે જીવમાં, પુદ્ગલ અજીવનો નિrગુણ વર્ણ, ગંધ વગેરે અજીવમાં હોય તો તે ભાવ નિક્ષેપ ગણાય છે. ભાવ નિક્ષેપના બે ભેદ છે. (૧) “આગમથી ભાવ આવશ્યક - શુધ્ધ ઉપયોગ સહિત એટલે ભાવાર્થ પર ઉપયોગ લગાડી એક ચિત્તે અને અંતઃકરણની રુચિપૂર્વક શાસ્ત્ર ભણે અને તેના ભાવ ભેદ સમજે તે (૨) “નો આગમથી ભાવ આવશ્યક” સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સવાર સાંજ બંને વખત શુધ્ધ ઉપયોગ સહિત પ્રતિક્રમણ કરે તે આગમથી ભાવ આવશ્યક ગુણ રૂપ છે. અને નોઆગમથી ભાવ આવશ્યક ગુણીરૂપ છે. એ ચારે નિક્ષેપોમાં પહેલા ત્રણ (નામ, સ્થાપના અને દ્રવ્ય) નિક્ષેપ ગુણરહિત નિરુપયોગી હોવાથી “અવલ્થ” એટલે અવસ્તુ (નકામા) કહ્યા છે. અને ચોથો ભાવ નિક્ષેપ ગુણયુક્ત હોવાથી ઉપયોગી કહ્યો છે. એ ચારે નિપાનું વર્ણન શ્રી “અનુયોગદ્વાર સૂત્રમાં છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy