SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) અંતરાય કર્મ: અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે છે. (૧) દાનાંતરાય - કોઈને દાન આપવામાં હરકત કરે છે (૨) લાભાંતરાય - કોઈની આવકમાં હરકત કરે (૩) ભોગાંતરાય - કોઈને ખાન પાન જેવી ચીજોની અંતરાય પાડે, (૪) ઉપભોગાંતરાય - કોઈને વસ્ત્રાભૂષણ જેવી ચીજોની અંતરાય પાડે છે (૫) વીર્યંતરાય - કોઈને ધર્મ ધ્યાન કરવા ન દે અથવા સંયમ ન લેવા દે. એ પાંચ પ્રકારે, બાંધેલાં અંતરાય કર્મનાં માઠાં ફળ પાંચ પ્રકારે ભોગવે છે. તે પણ બાંધ્યા પ્રમાણે જ જાણવાં. (૧) દાનાંતરાય દાન દઈ શકે નહિ (૨) લાભાંતરાય લાભ મેળવી શકે નહિ (૩) ભોગાંતરાય અન્નાદિ જેવી એક વખત ભોગવી શકનારી ચીજો ભોગવી શકે નહિ (૪) ઉપભોગાંતરાય વસ્ત્રાદિ જેવી વારંવાર ભોગવી શકાય એવી ચીજો ભોગવી શકે નહિ (૫) વીર્યંતરાય ધર્મ, ધ્યાન, તપ, સંયમ, કરી શકે નહિ. એ પ્રમાણે આઠ કર્મ બાંધવાની તથા તેનાં ફળ ભોગવવાની રીતો જાણવી જ્ઞાનાવરણીય કર્મની ૬, દર્શનાવરણીય કર્મની ૬, વેદનીય કર્મની ૨૨, મોહનીય કર્મની ૬, આયુષ્ય કર્મની ૧૬, નામ કર્મની ૮, ગોત્ર કર્મની ૧૬ અને અંતરાય કર્મની ૫ એ સર્વ મળી ૮૫ પ્રકૃતિઓ આઠ કર્મ બાંધવાની થઈ. વળી જ્ઞાનાવરણીયની ૧૦, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૧૬, મોહનીયની પ, આયુષ્યની ૪, નામની ૨૮, ગોત્રની ૧૬ અને અંતરાયની ૫ મળી ૯૩ પ્રકૃતિ, આઠકર્મનાં ફળ ભોગવવાની થઈ. એમ ૮૫ તથા ૯૩ મળી એકંદર ૧૭૮ પ્રકૃતિ છે. પણ તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ વિસ્તારે કહી છે તે મેળવીએ તો ૨૮૧ પ્રકૃતિ થાય છે. એ પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિનો બંધ તેને પ્રકૃતિબંધ કહે છે. આજકાલ કેટલાક લોકો શિથિલાચારી સાધુને દાન દેવાનો નિષેધ કરે છે અને ટલાક વળી પંચ મહાવ્રતધારી સાધુ સિવાય બીજાને દાન દેવાનો નિષેધ કરે છે. એ બંને દાનાંતરાય કર્મ બાંધે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે દાન આપનારની જે પ્રશંસા કરે છે તેને હિંસક કહેવો અને દાન આપવાનો જે નિષેધ કરે તેને અંતરાય પાડનાર ગણવો. ગાથા ને યા પક્ષત્તિ, વમિતિ પાળો - જે લાળ પરિતિ, વિત્તિઓ વતિ તે છે છે ઉપદેશ આપી વૈરાગ્ય ભાવથી કોઈને ભોગ ઉપભોગ તોડાવે તો, અગર દયા નિમિત્તે છોડાવે તો તે “અંતરાય’ કર્મ નહિ. ૨૦૦ સૂત્ર ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy