SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી ચીજ, ભોજન, મુખવાસ વગેરે) અને પરિભોગ (વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે) એ બે જાતની વસ્તુઓ જગતમાં જે કંઈ છે તે ભોગવવામાં આવે અગર ન આવે પણ તેનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી તેની ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છે. (૧) “જીવ' - મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્ય વગેરેના પચ્ચખાણ ન હોય તે (૨) “અજીવ' સોનું, ચાંદી, રત્ન વગેરેનાં પચ્ચકખાણ ન હોય તે. શંકાઃ જે વસ્તુ કોઈ દિવસ કાને સાંભળી નથી અને જેના પર અમારું મન પણ નથી, તો એની ક્રિયા અમને શી રીતે લાગે? સમાધાન : પોતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઇચ્છા હોતી નથી પણ જ્યાં લગી કમાડ ખુલ્લાં છે ત્યાં લગી અનેક જાતનો કચરો ઘરમાં આવવાનો જ. પણ જો બારણાં બંધ ક્ય તો ઘરમાં કચરો આવતો નથી. તે પ્રમાણે, જે વસ્તુ આપણે દેખી નથી, સાંભળી નથી, ઇચ્છા પણ નથી છતાં જ્યાં લગી પચ્ચકખાણ લઈને આસવ આવવાનાં કમાડ બંધ નથી કર્યા ત્યાં લગી પાપરૂપ કચરો આત્મરૂપી ઘરમાં આવવાનો જ. પણ વ્રત પચ્ચકખાણરૂપ દરવાજા બંધ કરવાથી આસવરૂપી ક્રિયા આવતી નથી. વળી, જે વસ્તુને ત્યાગી નથી તે વસ્તુ કદાચ હાથમાં આવી જાય તો ભોગવી પણ લેવાય. જે વસ્તુ કાને સાંભળી છે પણ દીઠી નથી તે જોવાનું મન થઈ જાય. કારણકે મનરૂપી મહાચંચળ ઘોડો છે. અને હજી તે વસ્તુનો ત્યાગ વીતરાગની સાક્ષીએ કર્યો નથી તેથી અંદર ઇચ્છા તો ભરી છે તે ઇચ્છા બધી ઇન્દ્રિયોને ગુલામ બનાવી દે છે. માટે ઇચ્છાનો નિરોધ હોય તો વ્રત પચ્ચક્માણ તો શ્રી વીતરાગ દેવની સાક્ષીએ કરી જ લેવા જેથી મન મહાદૃઢ થાય છે અને અપચ્ચખાણની ક્રિયા લાગતી નથી. (૧૦) મિથ્યા દર્શન પ્રત્યયી ક્રિયા : કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રધ્ધા રાખે છે. તેના બે ભેદ છે. (૧) “ઓછી અધિક મિચ્છા દંસણ વરિયા કિયા' શ્રી શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy