SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નથી. વળી, જેમ દ્રહમાંનું પાણી સદા અખૂટ હોય છે તેમ સાધુની પાસે સદા અખૂટ જ્ઞાનભંડાર હોય છે. (૨૪) ‘ખિલ્લી ઇવ’ જેમ ખીલી પર હથોડી મારતાં તે એક સરખી દિશામાં પ્રવેશ કરે છે તેમ સાધુ સદા એકાંત મોક્ષ હેતુ તરફ નજર રાખી પ્રવર્તે છે. (૨૫)‘શૂન્ય ગેહ ઇવ’ – જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરની સારસંભાળ કરે નહિ તેમ સાધુ શરીરરૂપી ઘરની સંભાળ કરે નહિ. – (૨૬) ‘દીવે ઇવ’ જેમ સમુદ્રમાં ગોથા ખાતાં પ્રાણીને દ્વીપ (બેટ) આધારભૂત છે તેમ સંસાર- સાગરરૂપી પાણીમાં પડેલા ત્રસ, સ્થાવર વગે૨ે સર્વે જીવોને સાધુ આધારભૂત એટલે અનાથના નાથ છે. - (૨૭) ‘શસ્ત્ર ધાર ઇવ’ - જેમ કરવતની ધાર એક જ દિશામાં વહેરતી આગળ વધે છે તેમ સાધુ કર્મ શત્રુનું નિકંદન કાઢતાં એકાંત આત્મકલ્યાણના માર્ગમાં ચાલે છે. (૨૮) ‘સપ્પ ઇવ’ - જેમ સર્પ કાંટા વગેરેથી ડરીને ચાલે તેમ સાધુ કર્મ બંધનના હેતુથી ડરીને ચાલે. (૨૯) ‘સકુન ઇવ’ – જેમ પક્ષી કંઈપણ આહાર રાતવાસી ન રાખે તેમ સાધુ ચારે આહાર રાત્રે પાસે ન રાખે. (૩૦)‘મિય ઇવ’ – જેમ હરણ નિત્ય નવાં નવાં સ્થાન ભોગવે, શંકાને ઠેકાણે વિશ્વાસ ન કરે, તે પ્રમાણે સાધુ ઉગ્રવિહારી રહે છે અને શંકાને કે દોષ લાગવાને સ્થળે જરા પણ વિશ્વાસ ન કરે. (૩૧) ‘કટ્ટ ઇવ’ - જેમ લાકડુ કાપનારને અને પૂજનારને બંનેને સમ જાણે. તેમ સાધુ શત્રુ અને મિત્રને સમ જાણે. (૩૨) ‘સ્ફટિક રયણ ઇવ' - જેમ સ્ફટિક રત્ન બહારથી અંદરથી એક સરખું નિર્મળ છે તેમ સાધુ બાહ્યાવ્યંતર સરખી વૃત્તિવાળા હોય છે. અને કપટ ક્રિયા રહિત હોય છે. Jain Education International એવી એવી અનેક ઉત્તમ પદાર્થોની ઉપમા સાધુ મુનિરાજને આપવામાં આવે છે. જેમકે ‘પારસમણિ’, ‘ચિંતામણિ’, ‘કામકુંભ’, ‘કલ્પવૃક્ષ’, ‘ચિત્રવેલી’ વગેરેની ઉપમા અપાય છે. એટલે એ ઉત્તમ પદાર્થો જેની પાસે હોય તેની સર્વે શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૧૬૫ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy