SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ‘કરણ સચ્ચે કરણ સિત્તરીના સિત્તેર ગુણો સહિત તથા સાધુને જે જે ક્રિયાઓ જે જે રીતે કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે તે સદા યોગ્ય વખતે કરે. જેમકે પાછલી રાતનો એક પ્રહર બાકી રહે ત્યારે જાગૃત થઈને આકાશ તરફ નજર કરી તપાસે કે કોઈ પ્રકારની “અસક્ઝાય” તો નથી ને? જો દિશા નિર્મળ હોય તો શાસ્ત્રની સઝાય કરે. પછી “અસક્ઝાય (અસ્વાધ્યાય)ની દિશા એટલે લાલ દિશા થાય ત્યારે પ્રતિક્રમણ કરે. * સૂર્યોદય થયા પછી પ્રતિલેખના (પડિલેહણ) એટલે વસ્ત્ર વગેરે સર્વઉપકરણ જુએ પછી ઇરિયાવહીનો કાઉસગ્ગ કરી ગુરુ આદિ વડીલ સાધુને વંદન કરી પૂછે કે હું સ્વાધ્યાય કરું ? વૈયાવચ્ચ કરું ? અથવા ઔષધાદિ લાવવાનું કામ હોય તો તે કરે? ગુવદિ આજ્ઞા કરે તે પ્રમાણે કરે. વળી, એક પહોર પૂરો થાય ત્યાં લગી સ્વાધ્યાય કરે. તથા શ્રોતાઓનો યોગ્ય સમુદાય હોય તો ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. તે પછી ધ્યાન અને શાસ્ત્રના અર્થોનું ચિંત્વન કરે. ભિક્ષાનો સમય હોય તો ગોચરી નિમિત્તે જઈ શુદ્ધ આહાર, શાસ્ત્રની વિધિ પ્રમાણે લાવી શરીરને ભાડું આપે શરીરને નભાવે. ચોથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્ત્રી હોય તો તે ઘર ગણતરીમાં લેવાતું અને સાઠ મનુષ્યોની રસોઈ તૈયાર કરતાં સહેજે બે પહોર દિવસ વહ્યો જતો. વળી તે વખતે બધા માણસો એક જ ક વખત ભોજન લેતા હતા. એ વગેરે કારણોથી ચોથા આરામાં સાધુઓ ત્રીજે પહોરે ભિક્ષા લેવા માટે જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે “ક્ષત્રેિ નિં સમાયરે ' એટલે જે સ્થળમાં ભિક્ષાને માટે જે કાળ હોય તે વખતે ગૌચરીએ જવું (ભિક્ષાના કાળનો વિચાર કર્યા વગર અગાઉથી કે પાછળથી જાય તો ગોચરી માટે ઘણું ફરવું પડે, ધારેલો આહાર ન મળે શરીરને કિલામના થાય. લોકોમાં પણ નિંદા થાય કે, “ટાણું કટાણું જોયા વગર સાધુ શા માટે ફરતા હશે?” સ્વાધ્યાય અને ધ્યાનનો વખત પણ ચુકાય તેથી અંતરાય પડે, વગેરે દોષોનો વિચાર કરી સાધુએ કાળનો વિચાર કરી ભિક્ષા લેવા જવું.) એટલે શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરે. પછી પાછું ધ્યાન અને શાસ્ત્રોની જ પહેલા આરામાં માણસોને ત્રણ ત્રણ દિવસના અંતરે, બીજા આરે બબ્બે દિવસના અંતરે, ત્રીજા આરે એક એક દિવસના અંતરે અને ચોથા આરામાં એક દિવસમાં એક વખત ભોજનની ઇચ્છા થતી હતી. શ્રી જૈન તત્ત્વ સાર ૧૪૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy