SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રતિલેખના વસ્ત્રના ૩ વિભાગ કરી પ્રત્યેક વિભાગની ઉપર, નીચે અને મધ્યમાં એમ ૩ ઠેકાણે દૃષ્ટિથી દેખે, એ ૩X૩=૯ અખોડા થયા. એ જ પ્રમાણે વસ્ત્રની બીજી બાજુ જુએ તો ૯ પખોડા. એ ૧૮ થયા તેમાં જીવની શંકા પડે તો આગળના ૩ અને પાછળના ૩ એમ ૬ વિભાગની ગુચ્છાથી પ્રમાર્જના કરે. એ છ પુરીમા. એ ૨૪ પ્રકાર થાય. અને ૨૫મો પ્રકાર શુધ્ધ ઉપયોગ રાખવો તે. ૧૨ ભાવના (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશ્ચ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક સંસ્થાન ભાવના, (૧૧) બોધિબીજ ભાવના, (૧૨) ધર્મ ભાવના. ૪ અભિગ્રહ અભિગ્રહના ચાર પ્રકાર : (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી આવા ચાર પ્રકારના અભિગ્રહ કરનાર હોય છે. કરણસિત્તરીના બોલમાં ૪ પિંડ વિશુધ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ એ પ્રમાણે સર્વ મળી ૭૦ બોલ થયા. ચરણ સિત્તરી ગાથા : वय समण धम्म, संजम वेयावच्चं च बंभगुत्तीओ । नाणाइ तियं तव, कोहो निग्गहाडं चरणमेयं ॥ અર્થ : પાંચ મહાવ્રત, દસ પ્રકા૨નો શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ત્રણ પ્રકારે જ્ઞાનાદિ રત્નો બાર પ્રકારે તપ, અને ચાર પ્રકારે ક્રોધાદિ કષાયનો નિગ્રહ એ પ્રમાણે ચારિત્ર ગુણના ૭૦ બોલ છે. ‘ચરણ’ના ૭૦ બોલનો વિસ્તાર હવે દર્શાવે છે. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૧૩૭ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy