SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ સિત્તરી ઉપાધ્યાયજીના ગુણ વિષેની ગાથામાં “કરણ ચરણ સિત્તેરી” અર્થાત્ કરણના ૭૦ અને ચરણના ૭૦ બોલ કહ્યાં છે. તેથી યુક્ત ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે જે વખતે જેવો અવસર તેવી ક્રિયા કરવામાં આવે તે. કરણના ૭૦ બોલ છે. ગાથાઃ પવિમોદી સમિડ઼ ભાવળા પડમા ફૈયિ નિદો । पडिलेहणा गुत्तिओ, अभिग्गहं चेव करणं तु ॥ અર્થ : ૪ પિંડ વિશુધ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના ૧૨ ડિમા, પ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ એમ કુલ ૭૦ બોલ કરણ સિત્તરીના છે. તેમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ ૪ નિર્દોષ ભોગવે તે પિંડવિશુધ્ધિ, તેનું વર્ણન એષણા સમિતિમાં થઈ ગયું. સમિતિના પાંચ ભેદ ઃ તેનું વર્ણન ચારિત્રાચારમાં થઈ ગયું. ૫ ઇન્દ્રિય નિગ્રહ કરવાનું કથન પ્રતિસંલીનતા તપમાં થયું અને ૩ ગુપ્તિનું કથન ચારિત્રચારમાં થઈ ગયું છે. એટલે બાકી રહેલું ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૨૫ પ્રતિલેખના અને ૪ અભિગ્રહનું વર્ણન અહીં કરવામાં આવે છે. સાધુની ૧૨ પડિમા (૧) પહેલી પિંડમામાં એક મહિના સુધી એક @ ત્તિ આહારની અને એક દિત્ત પાણીની લે. (૨) બીજી પડિમામાં એક મહિના સુધી બે ત્તિ આહારની બે દત્ત પાણીની લે. (૩) ત્રીજી પડિમામાં એક મહિના સુધી ત્રણ દત્ત આહારની, ત્રણ ત્તિ પાણીની લે. (૪) ચોથી પડિમામાં એક મહિના સુધી ચાર દત્તિ આહારની, ચાર દિત્ત પાણીની લે. @ સાધુને વહોરાવતી વખતે જેટલું અન્નાદિ પાતરામાં પડે તે આહારની એક ત્તિ અને પાણીની ધાર ખંડિત ન થાય ત્યાં સુધી પાણીની એક દદત્ત ગણાય છે. અભિગ્રહ હોય તેથી વધુ ત્તિ ન લેવાય, ઓછી લે તો હરકત નહિ. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy