SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અંતક્રિયાનું અને સમુદ્રની ભરતીનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામાં સાધુના અને દેવના જ્ઞાનના ભાંગાનું, વાયુકાયના વૈક્રિયનું, વાદળાંનાં વિચિત્ર રૂપ અને પરભવની લેશ્માનું કથન છે પાંચમાં ઉદ્દેશામાં સાધુનું વૈક્રિય રૂપ બનાવવાનું વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશામાં વિભંગજ્ઞાનનું, સાતમા ઉદ્દેશામાં ચાર લોકપાલનું, આઠમા ઉદ્દેશામાં દસ પ્રકારનાં દેવતાનું, નવમા ઉદ્દેશામાં ઇન્દ્રોની પરિષદનું વર્ણન છે. (૪) ચોથા શતકમાં ઃ ઈશાનેન્દ્રના ચાર લોકપાલનું, તેમની રાજધાનીનું, નારકીનું અને લેશ્યાનું વર્ણન છે. (૫) પાંચમાં શતકના ઃ પહેલા ઉદ્દેશામાં ચારે દિશામાં સૂર્યોદયનું દિન રાત્રિનું પરિમાણ, ઋતુ પરિણમવાનું અને અઢીદ્વીપનું, સૂર્યોદયનું કથન છે. બીજા ઉદ્દેશામાં વાયુકાયનું, ધાન્ય, ધાતુ આદિનું અને લવણ સમુદ્રનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં આયુષ્યનું કથન છે, ચોથા ઉદ્દેશામાં છદ્મસ્થ અને કેવળીનું, હસવાથી તથા નિદ્રાથી કર્મબંધનનું, હરિણગમેષી દેવ અને ગર્ભહરણનું, એવંતાકુમારે પાતરું પાણીમાં તરાવ્યાનું, શુક્ર દેવલોકના દેવોનું, દેવ અસંયતિનું દેવતાની અર્ધમાગધી ભાષાનું, ચાર પ્રમાણનું, અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નોત્તરનું, કેવળી નોઈન્દ્રિય છે અને પૂર્વધારી સાધુની શક્તિનું વર્ણન છે. પાંચમા ઉદ્દેશામાં છદ્મસ્થ સિધ્ધ ન થાય તેનું અને ભરતક્ષેત્રના ૧૫ કુલકરના નામ છે. છઠ્ઠા ઉદ્દેશામાં અલ્પાયુ અને દીર્ઘાયુ, શુભ આયુ અને અશુભ આયુ કેવી રીતે બંધાય, ચોરીના માલની વસ્તુ લેવા- વેચવાવાળાની ક્રિયાનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર ને ઓછું પાપ લાગે તે, ધનુષ્યના બાણની ક્રિયાનું, ના૨કી જીવો ૪૦૦-૫૦૦ યોજન સુધી નરકલોકમાં ઠાંસોઠાંસ ભરેલા છે તેનું, સદોષ સ્થાનકનું, આચાર્યાદિકના સન્માનથી મોક્ષ પ્રાપ્તિનું અને કલંકનો બદલો લંકથી મળવાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં પરમાણુ પુદ્ગલનું અને પાંચ હેતુનું કથન છે. આઠમા ઉદ્દેશામાં નારદ પુત્ર નિગ્રંથની ચર્ચા, જીવની અવસ્થિતતા, સોવચયા સાવચયાનું કથન છે. નવમા ઉદ્દેશમાં રાજગૃહીનું, ઉદ્યોત તથા અંધકારનું, મનુષ્ય લોકમાં જ કાળ હોવાનું, અસંખ્ય લોકનું, અનંત અહોરાત્રિનું કથન છે. દસમા ઉદ્દેશામાં ચંદ્રમાના નિવાસસ્થાનનું વર્ણન છે. (૬) છઠ્ઠા શતકના : પહેલા ઉદ્દેશામાં મહાવેદના મહાનિર્જરાની ચોભંગી તથા કરણવેદના અને નિર્જરાનું, બીજા ઉદ્દેશામાં આહારનો અધિકાર, ત્રીજા ઉપાધ્યાય અધિકાર |૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy