SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતની ૨૫ ભાવનાનું કથન અને (૧૬) ‘વિમુક્ત’ અધ્યયન તેમાં સાધુની ઉપમાનું વર્ણન છે. આચારાંગ સૂત્રનાં અગાઉ ૧૮૦૦૦ પદ • હતાં હવે મૂળમાં ફક્ત ૨૫૦૦ શ્લોક છે. (૨) સૂયગડાંગ સૂત્ર : તેના પણ બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધનાં ૧૬ અધ્યયન છે. (૧) ‘સ્વસમય પરસમય’ અધ્યયનમાં ભૂતવાદી, સર્વગત વાદી, તજ્જવ તચ્છ૨ીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતિવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, ઇશ્વરવાદી, દેવવાદી, ઇંડામાંથી લોક ઉત્પન્ન થયો વગેરે મત મતાન્તરોનું સ્વરૂપ દર્શાવ્યું છે. તથા કેટલુંક સાધુના આચારનું કથન છે. (૨) ‘વૈતાલય’ અધ્યયનમાં શ્રી ઋષભદેવજીના ૯૮ પુત્રોને ઉપદેશ છે તથા વિષય ત્યાગવાની યુક્તિ અને ધર્મનું માહાત્મ્ય બતાવ્યું છે. (૩)‘ઉપસર્ગ પરિજ્ઞાખ્યા’ અધ્યયનમાં શ્રીકૃષ્ણ અને શિશુપાલના દૃષ્ટાંતથી વીરત્વ કાયરત્વનું વર્ણન કર્યું છે. તથા સ્વજનોના પરિષહનો અધિકાર છે. (૪) ‘સ્ત્રી પરિજ્ઞા’ અધ્યયનમાં સ્ત્રી ચારિત્રનું, સ્ત્રીના સંગથી દુઃખ પ્રાપ્તિનું કથન છે. (૫) ‘નરક વિભક્તિ’ અધ્યયનમાં નરકનાં દુઃખોનું વર્ણન છે. (૬) ‘વીર સ્તુતિ’ અધ્યયનમાં મહાવીર પ્રભુની સ્તુતિ અનેક ઉપમાઓ સહિત કરેલી છે. (૭) ‘કુશીલ પરિભાષા' અધ્યયનમાં પરમતના કુશીલ અને સ્વમતના સુશીલનું કથન છે તથા હિંસાનું ખંડન કર્યું છે. (૮) ‘વીર્યાખ્યા’ અધ્યયનમાં બાલવીર્ય અને પંડિતવીર્યનું સ્વરૂપ છે. (૯) ‘ધર્મ’ અધ્યયનમાં દયાધર્મનું તથા સાધુના આચારનું વર્ણન છે. ૩૨ અક્ષરનો એક શ્લોક એવા ૧૫,૦૮,૮૬,૮૪૦ શ્લોકનું એક પદ ગણાતું હતું. આ કથન દિગમ્બર આમ્નાયના ‘ભગવતી આરાધના' શાસ્ત્રમાં છે. ઉપાધ્યાય અધિકાર |૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy