SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ન બોલાવે, એમનાં વચન સાંભળી પરપ્રવાદી પણ આનંદાશ્ચર્ય પામે તે. ‘પ્રશસ્ત વચની' (૨) કોમળ, મધુર, ગાંભીર્યયુક્ત સુસ્વરથી બોલે તે “મધુરતા (૩) રાગ દ્વેષ, પક્ષપાત તથા કલુષિતપણા રહિત બોલે તે “અનાશ્રિત” અને (૪) ગણગણાટ આદિ દોષરહિત સ્પષ્ટ બાળક પણ સમજી શકે તેવાં વચન બોલે તે “ફુટતા' ગુણ. (૫) શાસ્ત્ર અને ગ્રંથ વાંચવાની કુશળતા તે પાંચમી વાચના સમ્પદા' તેના જ પ્રકાર (૧) શિષ્યની યોગ્યતાનો જાણ, યોગ્ય શિષ્યને તે ગ્રહણ કરી શકે તેટલું જ જ્ઞાન આપે. દુગ્ધપાન સાપને વિષપણે પરિણમે છે તેવી રીતે કુશિષ્યને આપેલું જ્ઞાન દુર્ગુણવર્ધક નીવડે છે તેથી તેવાને જ્ઞાન ન દે તે. (૨) સમજાય નહિ, રૂચે નહિ તેવું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમતું નથી અને દીર્ઘ કાળ ટકતું નથી એમ જાણી શિષ્યને રૂચે અને તે પચાવી શકે તેટલું જ્ઞાન આપે તે ‘પ્રણિત” (૩) જે શિષ્ય વિશેપ બુધ્ધિમાન હોય, સંપ્રદાયનો નિર્વાહ કરવા તથા ધર્મ દીપાવવા સમર્થ હોય તેને અન્યોન્ય કાર્યોમાં થોડો રોકી આહાર વસ્ત્રાદિની શાતા ઉપજાવી તથા પ્રોત્સાહન આપી શીઘ્રતાથી સૂત્ર પૂર્ણ કરાવે તે ‘નિરયાપયિતા અને (૪) જેમ પાણીમાં તેલનું બિન્દુ ફેલાઈ જાય તેમ અન્યને જ્ઞાન પરિણમે તે પ્રમાણે શબ્દ થોડા અને અર્થ ઘણો એવા સરલ શબ્દોમાં વાચના આપે તે નિર્વાહણા’ ગુણ. (૬) બુધ્ધિ પ્રબળ હોય તે છઠ્ઠી “મતિ સમ્મદા' તેના જ પ્રકાર (૧) શતાવધાનીની પેઠે દેખી, સાંભળી, ચાખી, સુંઘેલી કે સ્પર્શેલી વસ્તુના ગુણને એક જ કાળમાં ગ્રહણ કરે તે “અવગ્રહ', (૨) ઉક્ત પાંચનો તત્કાળ નિર્ણય કરે તે “અહા' (૩) ઉક્ત પ્રકાર વિચારણા કરી તત્કાળ નિશ્ચયાત્મક બને તે “અપાય’ અને (૪) નિણિત વસ્તુનું દીર્ઘકાળ પર્યત વિસ્મરણ ન થાય, સમય પર શીધ્ર સ્મૃતિગોચર થાય, અચૂક હાજર જવાબી હોય તે “ધારણા” ગુણ. (૭) પર પ્રવાદીઓનો પરાજય કરવાની કુશળતા તે સાતમી પ્રયોગ સમ્મદા'. તેના ૪ પ્રકાર (૧) આની સાથે સંવાદમાં, પ્રશ્નોત્તરમાં હું જીતીશ કે નહિ એ પ્રમાણે પ્રતિવાદીની અને પોતાની શક્તિનો વિચાર કરી વાદ કરે તે ‘શક્તિજ્ઞાન” (૨) વાદી ક્યા મતનો અનુયાયી છે તે જાણી લઈ તેના જ મતનાં શાસ્ત્રોથી સમજાવે તે પુરુષજ્ઞાન' (૩) આ ક્ષેત્રના લોકો ઉધ્ધતાઇથી અપમાન આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy