SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વ્યક્તિસ્વાતંત્ર્ય અને અહિંસા કેવળ સોય હોત અને દોરો ન હોત, તો કપડાંના ભાગ પણ અલગ અલગ હોત, એક ન કરી શકાયા હોત. સોય અને દોરાના સંયોજનથી જ વસ્ત્રોના અલગ અલગ ભાગો જોડાઈને પહેરવા માટેનું આખું એક વસ્ત્ર બને છે. તેમ વ્યક્તિ પણ એકલી વ્યક્તિ જ રહેત તો બધા અલગ જ હોત. પરંતુ તેમના વચ્ચે એક દોર છે, જે તમામ વ્યક્તિઓને જોડે છે અને એક સમાજ રચાય છે. તે જોડનાર દોર-તત્ત્વ છે : હૃદયપરિવર્તન. આ હૃદયપરિવર્તનનું તત્ત્વ ન હોત તો વ્યક્તિ એકલી જ રહેત, સમાજ-૨ચના થાત જ નહિ. આહાર અને સ્વતંત્રતા : વર્તમાન યુગમાં વ્યક્તિસ્વાતંત્ર્યની વાતો ખૂબ જોવા મળે છે. મનુએ લખ્યું છે, સર્વ વંશ દુ:વું સર્વમાભવશે સુર્ણ પરવશ જે કંઈ છે તે દુઃખ છે, સ્વતંત્ર જે કંઈ છે તે સુખ છે. એક સૂત્ર રચાઈ ગયું- સ્વતંત્રતાનો સૂકો રોટલો સારો, પણ પરતંત્રતાનાં મિષ્ટાન્ન પણ ખોટાં. આજે લોકતંત્રનો યુગ છે. કોઈપણ વ્યક્તિ રોટલા માટે પરતંત્ર બનવા નથી માંગતી. તે ઇચ્છે છે કે રોટલો પણ મળે અને વ્યક્તિગત સ્વતંત્રતા પણ જળવાઈ રહે. બંને સાથે સાથે રહે. સ્વતંત્રતાનું મૂલ્ય અનિર્વચનીય છે. સામાજિક, આર્થિક અથવા વ્યાવહારિક ક્ષેત્રમાં બંને પ્રયોગ ચાલે : સામ્યવાદનો પ્રયોગ અને લોકતંત્રનો પ્રયોગ. સામ્યવાદમાં વ્યક્તિ-સ્વાતંત્ર્ય પર નિયંત્રણ આવ્યું અને નિજીકરણની વાત તેમાં સમાપ્ત કરવામાં આવી. એને બદલે સામુદાયિક નીતિ પર ભાર મુકાયો. પરિણામ એ આવ્યું કે ઉત્પાદનમાં મંદી આવી ગઈ અને સમાજ આર્થિક વિકાસમાં પાછળ પડી ગયો. લોકતંત્રમાં વ્યકિતસ્વાતંત્ર્યને મહત્ત્વ મળ્યું. તેમાં ઉત્પાદનક્ષમતા ખૂબ વધારે તીવ્ર થઈ ગઈ, પણ આર્થિક વહેંચણી ન્યાયોચિત ન થઈ શકી. વહેંચણીમાં અસમાનતા આવી જવાથી સમાજનો જે વિકાસ થવો જોઈએ તે ન થયો. આમાં ધનવાનો વધારે ધનવાન અને ગરીબો વધારે ગરીબ બનતા ગયા. Jain Education International લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ 7 ૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy