________________
સમાજની રચના કરવામાં સફળ થયેલ નથી. જ્યાં રાજ્યનું નિયંત્રણ છે, ત્યાં વ્યક્તિમાં અકર્મણ્ય ભાવ પેદા થયો. આગળ વધવાની જે મનોવૃત્તિ હતી, તેના પર પ્રભાવ પડ્યો. જ્યાં ખુલ્લી અર્થવ્યવસ્થા હતી, ત્યાં બીજી પરિસ્થિતિ સર્જાઈ. આજે દુનિયાની વસ્તી પાંચ અરબથી પણ વધારે છે, પરંતુ એ સચ્ચાઈનો અસ્વીકાર ન કરી શકાય કે, દુનિયામાં જેટલી સંપત્તિ છે તેના પ૦ % થી વધારે પર થોડાક જ લોકોનું આધિપત્ય છે. આ ખુલ્લી અર્થવ્યવસ્થાનો પ્રયોગ પણ સ્વસ્થ સમાજની રચનામાં સહયોગી નથી બન્યો. અને રાજયનિયંત્રિત અર્થવ્યવસ્થા પણ સહયોગી બની શકી નથી.
સમાજવાદી પ્રણાલીઃ નવી સમસ્યા
સમાજવાદી પ્રાણાલીમાં સહુથી વધારે એ વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું કે ગરીબોનું શોષણ ન થાય. અમીર અને ગરીબ એવા બે વર્ગો ના રહે. આ કલ્પના ચાલી ત્યાં શાસક અને શાસિત બે નવા વગ ઊભા થઈ ગયા. શાસક વર્ગ માટે તમામ સુખ-સગવડો, સુવિધાઓ અને શાસિત પ્રજા માટે કોઈ જ સુવિધા નહીં ! નવી જ સમસ્યા પેદા થઈ ગઈ. સમાજવાદી રાષ્ટ્રોના શાસકોનું જે ચારિત્ર્ય સામે આવ્યું છે, તેના આધારે લાગે છે કે : સત્તાકેન્દ્રિત થતાં જ મનુષ્યની સુવિધાવાદી મનોવૃત્તિ પ્રબળ અને નિરંકુશ બની જાય છે. તે સિદ્ધાંતને સમાપ્ત કરે છે. સામ્યવાદની જે કલ્પના હતી, તે ક્યાંય રહી ગઈ અને શાસક સ્વયં શોષક બની ગયો. ખુલ્લી અર્થવ્યવસ્થાની પ્રણાલીમાં શોષણ ચાલતું જ રહ્યું છે. કેટલીક વ્યક્તિઓની પાસે જ ધન એકઠું થવા માંડ્યું. બાકીની વ્યક્તિઓના જીવનમાં અભાવ જ વધવા માંડ્યો. આ અભાવે સમાજને શોષણમુક્ત અને સ્વસ્થ ન થવા દીધો. જે અર્થ-વ્યવસ્થા પર વધારે ધ્યાન કેન્દ્રિત થયું, તેણે પણ પ્રવચના કરી દીધી.
કારણ શું છે?
આપણું જીવન બે પ્રવાહમાં પ્રવાહિત છે : વસ્તુ જગત અને ભાવ જગત. પરિવર્તના જેટલા પ્રયોગો થયા છે, તે તમામ વસ્તુજગતને બદલવાના થયા છે. ભાવ-જગત પર ધ્યાન અપાયું જ નથી. કેવળ એમ જ માની લેવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થા સુધરશે, રાજનૈતિક પ્રણાલી બદલાશે તો તેથી સમાજવ્યવસ્થા બદલાઈ જશે. આ સચ્ચાઈને સમજવામાં આપણે મોટી ભૂલ કરી છે. સહુથી પ્રથમ આપણે નિદાન કરીએ : સમાજ બીમારી અને શોષણથી ઘેરાયેલો કેમ છે ? શું કારણ છે ? સાચું નિદાન તો ત્યારે જ થશે જ્યારે આપણે ભાવજગતમાં પ્રવેશીશું.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org