________________
એકતરફીએ સિદ્ધાંતને તદ્દન નિષ્પ્રાણ બનાવી દીધો. હૃદય-પરિવર્તનની પ્રક્રિયાને જરૂરી માનવામાં ન આવી. તેનું પરિણામ એ આવ્યું કે જ્યાં અનાસક્તિનો વિકાસ થવો જોઈતો હતો, ત્યાં સત્તા પ્રત્યે ઊંડી આસક્તિનો ભાવ જાગ્યો. વ્યક્તિએ સત્તાને હાથવગી ક૨વામાં જ પોતાની તમામ શક્તિઓ વાપરી નાંખી. વ્યક્તિમાં આ ચિંતન પ્રબળ બન્યું, “તે કેવી રીતે સત્તા પર આવે અને તાના શાહ બનીને સત્તાને પોતાના હાથમાં લે ?”
હિંસા ઃ મૂળ સ્રોત
લોકતંત્રમાં આ સ્પષ્ટ સ્વીકૃતિ છે કે પદાર્થ પર વ્યક્તિનો અધિકાર છે. પદાર્થને વ્યક્તિ ભોગવી શકે છે, તેને અધિકૃત કરી શકે છે. આમ કરવું અનુચિત નથી. આ વ્યવસ્થા દ્વારા પણ પદાર્થ પ્રત્યે આસક્તિમાં ઘટાડો ન થયો. ન તો સમાજવાદી પ્રણાલીમાં પદાર્થની આસક્તિ ઓછી થઈ કે ન લોકતંત્ર પ્રણાલીમાં જ તે સમાપ્ત થઈ, પરંતુ તેને વધારે બળ મળ્યું. આવી સ્થિતિમાં સમતાની વાત વિચારી ન શકાય. હિંસાનો મૂળ સ્રોત છે પદાર્થ પ્રત્યે મૂર્છા, તેના પ્રત્યે આસક્તિ-ઘેલછા. આવી ઘેલછા જ્યાં સુધી વધારે ગાઢ હશે, ત્યાં સુધી હિંસાનું પ્રમાણ (સઘન રીતે) વધવાનું જ. આસક્તિનું ચક્ર તોડવા માટે જો ધાર્મિક અવધારણા- માન્યતાને સાથે રાખી હોત તો સમાજવાદને સફળ થવામાં સહયોગ મળ્યો હોત.
અનાસક્ત ચેતનાનો જન્મ
ધર્મમાં શરૂઆતથી જ અનાસક્ત ચેતનાનું નિર્માણ થયેલું હતું. મૂર્છાની ચેતનાને તોડવાનો ઉપાય સૂચવવામાં આવ્યો હતો. પિરભાષા આપવામાં આવી કે પ્રમાદ અધર્મ અને અપ્રમાદ ધર્મ. આ એક જ શબ્દમાં મહાવીરનું સમગ્ર ધર્મદર્શન આવી જાય છે. પ્રમાદ એટલે આસક્તિ-મૂર્છા, અપ્રમાદ એટલે જાગરૂકતા-જાગૃતિ. ધર્મ છે પદાર્થાતીત ચેતના. બધા જ ધર્મોએ પદાર્થાતીત ચેતના તરફ પ્રયાણ કર્યું છે. એમાં સફળતા પણ મળી છે. સમાજવાદ કહે છે ઃ પદાર્થ પણ સ્વતંત્ર છે. એના ઉ૫૨ તમારો કોઈ અધિકાર નથી. તમે ચેતન છો, તે અચેતન છે. ધર્મે ફક્ત
આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન ન કરતાં તેની સાથે હૃદય-પરિવર્તનનો પ્રયોગ પ્રસ્તુત કર્યો છે. ધર્મના ક્ષેત્રે એવી વ્યક્તિઓ પેદા થઈ છે, જેમની પદાર્થ પ્રત્યે આસક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. ધર્મે નવા માનવીને જન્મ આપ્યો, પણ આર્થિક અને રાજનૈતિક પ્રણાલીઓએ નવા માનવીને પેદા ન થવા દીધો. આસક્તિ ઓછી ન થાય, મૂર્છા ન તૂટે અને નવા સમાજનું નિર્માણ થાય, આવું કેવી રીતે શક્ય છે ?
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ઘ્વ ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org