________________
રાષ્ટ્રની અપેક્ષા
ભારતીય રાજનીતિમાં મહામાત્ય ચાણક્યનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે સમગ્ર રાજ્યનું સંચાલન કર્યું. પણ જીવન જીવ્યા એક સંન્યાસીનું. “મુદ્રારાક્ષસ' ગ્રંથમાં એમનું જે વર્ણન છે, તે હૃદયવેધી અને માર્મિક છે.
उपलशकलमेतद् भेदकं गोमयानां, वटुभिरूपहृतानां बर्हिषां स्तोम एष । शरणमपि समिद्भिः शुष्यमाणाभिराभिरूपनतपटलानां दृश्यते जीर्णकुंड्यम् ॥ ત્યારે અને અત્યારે
ચાણક્ય એક ઝૂંપડીમાં રહેતા હતા. ત્યાં કેટલાંક ઉપકરણો પડ્યાં હતાં. થોડાક પથ્થર પડ્યા હતા. થોડી ખાવાની સામગ્રી પડી હતી. આટલી સામાન્ય ઝૂંપડી, આટલાં સામાન્ય સાધનો, આ બધું જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે, આ ઝૂંપડીમાં રહેનારો માણસ કોઈ રાજ્યનો સર્વેસર્વા હશે, રાજ્યનો સંચાલક હશે. એક દિવસ તેમની ઝૂંપડીમાં કોઈ વિદેશી આવ્યા. તે સમયે ઝૂંપડીમાં દીવો બળતો હતો. ચાણક્ય પેલો દીવો ઓલવીને બીજો દીવો કર્યો. આશ્ચર્ય પામેલા વિદેશીએ પૂછ્યું, “મહામાત્યજી, આપે આ શું કર્યું ? જ્યારે દીવો જ બળતો હતો, તો પહેલો બુઝાવીને બીજો શા માટે પેટાવ્યો ?” ચાણકયે કહ્યું, “મહાશય, અત્યાર સુધી હું મારું કામ કરતો હતો, તેથી મારા ઘરનો દીવો બળતો હતો. હવે મારું સરકારી કામકાજ શરૂ થયું, એટલે સરકારી દીવો બળી રહ્યો છે !” વિદેશી આ સાંભળીને અવાક બની ગયો, આશ્ચર્ય પામ્યો.
આજે કેવી સ્થિતિ છે ? ફક્ત સરકારી અધિકારીઓ દ્વારા થતા ટેલિફોન્સનું બિલ જુઓ ને ! લાખો-લાખો રૂપિયાનાં બિલો હોય છે. તેમનું પૂરતું ચૂકવણું પણ નથી થઈ શકતું. ઘણી વખત પ્રશ્ન ઉદ્ભવે છે, આટલું મોટું બજેટ શા માટે ? આટલો બધો વ્યર્થ ખર્ચ કેમ ? આજે સરકારી
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org