________________
સાચો ધર્મ છે સમાજસેવા માટે ઈદ્રિયનિગ્રહ કરવો, ઉદ્યોગપરાયણ સાદગીથી રહેવું અને સમગ્ર સમાજ સાથે જ નહીં પરંતુ સચરાચર વિશ્વ સાથે એકરૂપ થઈ જવું, આ જ છે સાચો જીવનાનન્દ.”
આચાર્ય ભિક્ષુએ બસો વર્ષ પૂર્વે કહેલું, “ભિખારીને દાન દેવું એ ધર્મ નથી.' ત્યારે એક જબરદસ્ત તોફાન સર્જાઈ ગયેલું. વર્તમાનમાં આ વિચાર ખૂબ સબળ બન્યો છે. આજનો વિચારશીલ માનવી ભિખારીપણાને સામાજિક અપરાધ માને છે. ભિખારી હોવું તે જ સામાજિક વ્યવસ્થાનો દોષ છે. તે સમાજવ્યવસ્થા સારી નથી, જેમાં કોઈ વ્યક્તિ ભિખારી હોય. તો કોઈ વ્યક્તિ દાનેશ્વરી કે દાતા હોય. ભિખારીપણાને પ્રોત્સાહન આપવું તે વધારે મોટો દોષ છે, પાપ છે. ભિખારીને શ્રમ કરાવીને પુરસ્કાર આપવો, આ પ્રવૃત્તિને સામાજિક કર્તવ્યની કોટિમાં મૂકી શકાય. દાનનું
ઔચિત્ય આપણી સમજણ બહાર છે. આ દાનની પ્રવૃત્તિએ સાચેસાચ હિન્દુસ્તાનમાં મફતખોરીની પ્રવૃત્તિને વધારી દીધી છે.
દાનનોઅધિકારી
આચાર્ય ભિક્ષએ દાન અને ત્યાગને અલગ અલગ રૂપે વ્યાખ્યાબદ્ધ કરતાં કહ્યું છે, જે વ્યક્તિ સંયમી છે, પોતાના માટે રસોઈ નથી બનાવતી, અકિંચન છે, પૈસાને હંમેશ માટે ત્યાગી ચૂકેલ છે, આત્મ-સાધનામાં લીન છે, વિરક્ત છે, તે જ વ્યક્તિ દાન મેળવવાની અધિકારી છે. એને ધન દેવું તે ત્યાગ છે, અતિથિસંવિભાગ દ્રત છે. દાન, પુણ્યની મીમાંસા માટે એમનો તર્ક એવો હતો કે, ભિખારીને પોતાનો ભાઈ માનીને ભોજન કરાવીએ તો ધર્મ નહીં, અને તેને ભિખારી માનીને ભોજન કરાવીએ તો ધર્મ” એવું કેમ ? પોતાના ભાઈને જમાડવામાં ધર્મ નહિ અને ભિખારીને ખવડાવવામાં ધર્મ મનાતો હતો. આ ખોટી (બ્રાંત) ધારણાને આચાર્ય ભિક્ષુએ તોડી. તેઓએ કહ્યું, “ આ કેવી ભ્રાંતિ છે કે એક સામાજિક
વ્યક્તિને પહેલાં ભિખારી બનાવો, પછી તેને દાન આપો અને ધર્મ કરીને પુણ્ય કમાઓ. આ બેવડી નહિ, પણ ત્રેવડી ભૂલ છે.” ધનપતિઓને - ધના શેઠોને ત્યાગ, તપસ્યા કરવાની જરૂર જ નહિ, બસ જેમ-તેમ કરીને ધન કમાઓ અને થોડું ઘણું ભિખારીને આપીને, ખવડાવીને- પુણ્ય કમાઓ અને સ્વર્ગમાં જાઓ. આવી ભ્રાંત માન્યતા પર આચાર્ય ભિક્ષુએ સખત પ્રહાર કર્યો. લોકોને બહુ અટપટું લાગ્યું. જ્યારે ધર્મની બાબતમાં ગંભીર ચિંતન નથી થતું ત્યારે ધર્મના ક્ષેત્રમાં રૂઢિગત પરંપરા જ ચાલે છે, ઘણી બધી શાંતિઓ પેદા થાય છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૪િ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org