________________
રાખી શકે. જેના આધારે તે મુખ્ય વ્યક્તિ-પ્રમુખ બને છે, તે દરેકને પોતાને
અનુકૂળ બનાવી રાખવા નિતાન્ત જરૂરી બની જાય છે. આ સાપેક્ષતાનો નિયમ છે - સિદ્ધાંત છે. એક અર્થમાં સાપેક્ષતાનું ખૂબ મહત્ત્વ છે. વર્તમાનમાં સાપેક્ષતાનો અર્થ બદલાઈ રહ્યો છે. તે સહયોગ-સહકારને બદલે પ્રમુખતાને ટકાવી રાખવા- જાળવી રાખવા પ્રયુક્ત- પ્રવૃત્ત બની રહે છે. આ સ્થિતિમાં નિયંત્રણની વાત સંભવ નથી બની શકતી.
લોકતંત્રનો રથ ચૂંટણીનાં પૈડાં ઉપર ચાલે છે. ચૂંટણીની સફળતા માટે કુબેર (ધનિકો)ની પ્રસાદી ખૂબ જરૂરી છે. કુબેરની અનુકંપા સિવાય ધન ન વરસે અને ધનની વષ સિવાય ચૂંટણીમાં સફળતા મળતી નથી. આ સ્થિતિમાં કોણ કોને રોકે અને કોણ કોના ઉપર નિયંત્રણ કરે ? સમસ્યાનો ચક્રવૂહ લોકતંત્રની સાથે જોડાયેલો છે.
પ્રશ્ન છે સ્વતંત્રતાના ઉપયોગનો
લોકતંત્રની સાથે વ્યક્તિગત સ્વતંત્રતાને સંબંધ છે. રાજતંત્ર અને અધિનાયકવાદી પ્રણાલીમાં એની સંભાવના નથી હોતી. લોકતંત્રે સ્વતંત્રતાનું મૂલ્ય આંક્યું છે, પરંતુ તેની વિશેષતાનો ઉપયોગ ઓછો થાય છે. લોકતંત્રના નાગરિકો જાતિયતા, સામ્પ્રદાયિકતા જેવાં અનેક બંધનોમાં જકડાયેલા છે, તેથી પોતાને મળેલી સ્વતંત્રતાનો પૂરો ઉપયોગ નથી કરી શકતા. ચૂંટણી વખતે રાજનીતિના સિદ્ધાંતો નીચે દબાઈ જાય છે, અને ઉપર આવે છે : જાતિયતા અને સામ્પ્રદાયિકતાના પ્રશ્નો. જે જાતિવાદે વર્તમાન પરિસ્થિતિઓમાં નિષ્માણ થવાનું હતું તેની પ્રાણ ઊર્જા- તેની શક્તિ વધારે વ્યાપક બની ગઈ છે. જે સામ્પ્રદાયિકતાની કટ્ટરતાએ અર્થહીન થવાનું હતું, એની સાર્થકતા વધી રહી છે.
લોકતંત્રનું આંતર્લ્ડ
લોકતંત્રની વાસ્તવિક સત્તા જાતિવાદ, સાંપ્રદાયિકતા અને આર્થિક સ્રોતોમાં ઘેરાયેલી છે. નંબર-બેની સત્તા શાસન અને પ્રશાસન પાસે છે. એ સંભવ જ નથી, કે જેમના આશીર્વાદથી સત્તા ઉપર આવો, તેમની વાત ન સાંભળો, ન માનો. જો ન સાંભળો, ન માનો તો બીજી વખત સત્તા પર આવવાની સંભાવના ક્ષીણ થઈ જાય છે, નહિવતું રહે છે. લોકતંત્રનું આ એક એવું આંતÁદ્ધ છે, જેમાંથી છૂટકારો મેળવવો સરળ નથી. લોકતંત્રનો કોઈ વિકલ્પ સામે આવે અને તે પણ તેની (લોકતંત્રની) આંતર્દુદ્ધાત્મક પરિસ્થિતિઓથી મુક્ત બનીને આવે, તો સ્વસ્થ સમાજની કલ્પના કરી શકાય તેમ છે. આપણે પરિકલ્પનાઓમાં ઘેરાઇને ન રહી શકીએ. આપણે
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org