________________
દવા તે જે નવો રોગ પેદા ન કરે. ઔષધ એનું નામ છે, જે લેતાં રોગ મટી જાય. માણસ દવા લે અને એનું એટલું બધું રિએક્શન આવે કે જીવનથી હાથ ધોવા પડે, મૃત્યુ થાય, તો તે શું દવા કહેવાય ? હિંસાની પણ આ જ સમસ્યા છે. હિંસા એ એવી દવા છે જેનાથી ભલે એમ લાગે કે પ્રશ્ન પતી જશે, બીમારી મટી રહી છે, રોગ શમી રહ્યો છે, પરંતુ પ્રતિક્રિયા એટલી ભયંકર થાય છે કે, અનેક નવી બીમારીઓ પેદા થાય છે. આપણે એવી દવાની શોધ કરીએ જે નવી બીમારી પેદા ન થવા દે. તે દવા છે : અહિંસા. ગમે તેવી લડાઈઓ લડીએ, વેર વધારીએ. વિરોધ કરીએ, યુદ્ધ અને હિંસક હુમલા કરીએ, તેથી સમસ્યા ઉકેલાતી નથી. વ્યક્તિને આખરે અહિંસાની શરણમાં જવું પડે છે, શાંતિ માટે સમાધાન કરવું પડે છે.
માનવ અને પશુમાં તફાવત
અહિંસાની આસ્થાને જાગૃત કરવાનો એક ઉપક્રમ છે ઃ અણુવ્રત આંદોલન. વ્યક્તિ અને સમાજ બંનેમાં અહિંસાની આસ્થા જાગે. સૌ પ્રથમ વ્યક્તિને કેન્દ્રમાં રાખવી પડશે. નૈતિકતાનો વિષય હંમેશાં વ્યક્તિને સંલગ્ન હોય છે. અણુવ્રતનું મહત્ત્વપૂર્ણ ઘોષણાસૂત્ર છે : વ્યક્તિનું નિર્માણ. વ્યક્તિમાં બે તત્ત્વો હોય છે : વાસના અને બુદ્ધિ. પશુમાં વાસના હોય છે, બુદ્ધિ હોતી નથી. મનુષ્ય અને પશુમાં આ અંતર છે. પશુ પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતું. જ્યારે માનવી પોતાની બુદ્ધિના ઉપયોગ વડે પોતાની વાસના પર નિયંત્રણ રાખી શકે છે. વ્યક્તિનિમણિનો એક અર્થ છે : બુદ્ધિ દ્વારા વાસના પર નિયંત્રણ કરવું. જેણે બુદ્ધિના પ્રયોગથી વાસના પર નિયંત્રણ કરવાનું શીખી લીધું, તે વ્યક્તિનું નિર્માણ શરૂ થયું સમજવું. આપણે એ સચ્ચાઈનો સ્વીકાર કરીએ. કે વાસના દરેક વ્યક્તિમાં હોય છે. જો વાસના ક્ષીણ થઈ જાય તો નિર્માણની વાત જ નથી રહેતી કે હિંસા - અહિંસાનો પ્રશ્ન પણ નથી રહેતો. જેની વાસના ક્ષીણ થઈ ગઈ, તે આ બધા પ્રશ્નોથી અલગ થઈ જાય છે. એક સામાન્ય માનવી પણ બુદ્ધિ દ્વારા વાસના પર એટલું નિયંત્રણ અવશ્ય મેળવે છે, તે બીજાના હિતનું ખંડના કરી, ફક્ત પોતાના જ હિતમાં ન લાગી જાય, બીજાના હિતને નુકસાન પહોંચાડી પોતાનું હિત સાધવાની વાત વાસનાની પ્રબળતામાં જ પેદા થાય. જો વાસના પર બુદ્ધિનું નિયંત્રણ થઈ જાય, તો મનુષ્યનું જીવન નૈતિકતા, આચાર અને ચારિત્ર્ય દ્વારા ઘડાઈ જાય અને વ્યક્તિનિમણિની વાત શક્ય બની જાય.
સુખ, વાસના અને બુદ્ધિ
સમસ્યા એ છે કે : દરેક વ્યક્તિને સુખ જોઈએ છે. તે સુખવાદની ધારણાથી પ્રભાવિત છે. તેથી જ તે પોતાની વાસના પર નિયંત્રણ નથી
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org