________________
આવી, જેની વિરુદ્ધમાં આંદોલનો થાય છે, તો તેની તરફેણમાં પણ તોફાનો કરાય છે. કહેવાય છે “જ્ઞાતિવાદના નામે ભૂતકાળમાં જે પાપ કર્યો છે, અનામત (આરક્ષણ) એક પ્રકારે તે પાપોનું પ્રાયશ્ચિત્ત છે.
સમાનતાના હેતુ
આજે પણ જાતિગત ભેદ અને ધૃણા ભારતીય જીવનશૈલીનાં અંગ બની ગયાં છે. જો કે શહેરી વાતવારણમાં કંઈક ફેર પડ્યો છે, છતાંયે ગામડાંઓની પરિસ્થિતિ તેવી ને તેવી જ છે. આજે પણ હરિજનોને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ છે. મંદિરમાં પ્રવેશ નથી મળતો. ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ સમસ્યા ભયંકર છે. હરિજનોની આખી ને આખી વસ્તી સળગાવી દેવાય છે. આવી ભયંકર સ્થિતિમાં આ સચ્ચાઈ સ્થપાય તે ખૂબ જરૂરી છે કે સમાજમાં સમાનતા આવે, જાતિગત ભેદભાવ ન રહે.
સમાજશાસ્ત્રીઓએ સમાનતાનો એક ઉદ્દેશ બતાવ્યો છે : આંતરિક આકર્ષણ. વ્યક્તિમાં એક આંતરિક આકર્ષણ હોય છે, એના આધારે જ સમાનતાની ભાવના વિકસે છે. જ્યાં સંજ્ઞાનાત્મક બોધ છે, આંતરિક આકર્ષણ છે, ત્યાં સમાનતા હોવાની. બીજો ઉદ્દેશ છે : ગુણાત્મક સમાનતા. જ્યાં ગુણ સમાન હોય છે, ત્યાં આંતરિક આકર્ષણ પેદા થાય છે જ. સમાનતા પેદા કરનાર મુખ્ય ઘટક છે ઃ આંતરિક આકર્ષણ.
જાતિભેદનું કારણ
જાતિભેદ મુખ્યત્વે : અહંકારના આધારે કરવામાં આવ્યો. જેઓ ભૂમિપતિ-જમીનદાર બન્યા, તેઓએ વિચાર્યું. એક ભૂમિહીન- સામાન્ય વ્યક્તિ સાથે સંબંધ જોડવો, રાખવો, છોકરી આપવી- લેવી. આપણા મોભાને અનુરૂપ નથી. વિવાહ-લગ્નના સંબંધ તૂટી ગયા. જમીનદારો વધારે મોટા બની ગયા, પછી તો ધંધાદારી, ખાવા-પીવાના સંબંધો પણ તૂટી ગયા. ધીરે ધીરે આ ધૃણાનો વિકાસ થતો ગયો, સ્વામી-સેવકના સંબંધ વિકસતા ગયા.અલગપણું વધવા લાગ્યું. ભેદ-ભાવ વધતા ગયા, સમાજ તૂટતો ગયો. તે અહંકાર જીવનશૈલીનું અંગ બની ગયો. તેણે ધૃણાને વિકસવાની તક આપી. માણસે માણસને જ એવો કાપી નાંખ્યો, રહેંસી નાંખ્યો કે જાણે માનવી માનવી રહ્યો જ નહીં ! આજે આ પરિસ્થિતિ જ લોકતંત્રના સ્વાથ્યની દુશ્મન બની ગઈ છે.
જરૂર છે આંદોલનની
આપણે એ સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો કે હિન્દુસ્તાનમાં સમાજ કેવળ એક પ્રકારના બીબા સ્વરૂપે જ રહી ગયો છે, સાચા અર્થમાં પ્રાણવાન નથી બની શક્યો. પરિણામે આ અસમાનતાનું તત્ત્વ વિકસતું ચાલ્યું.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org