________________
૨
સમાજવ્યવસ્થાના મૌલિક આધારો
જો આપણે સમાજનો સંદર્ભ છોડી દઈએ, તો ચારિત્ર્ય, આચાર અને નૈતિકતાની વ્યાખ્યા સંકોચાઈ જાય છે અને એટલું નાનું બિન્દુ બની જાય કે એને જોવા માટે માઈક્રોસ્કોપની જરૂરી પડે ! આચાર અને નૈતિકતાનો વિકાસ સમાજના સંદર્ભમાં થયેલો છે. બીજું કંઈ હોય, તો તે સત્ય અને અહિંસા છે. જ્યાં બીજું નથી, ત્યાં સત્ય, અસત્યનો પ્રશ્ન જ નથી. અચૌર્ય (અસ્તેય), અપરિગ્રહ, વગેરેનું મૂલ્ય પણ સમાજના સંદર્ભમાં જ છે, અબ્રહ્મચર્યનું પણ બહુ જ વ્યાપક સ્વરૂપ સમાજના સંદર્ભમાં છે.
ચારિત્ર્યનો સંદર્ભ
અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચેય આપણા ચારિત્ર્યના મૂળ આધાર મનાયા છે. એમની વ્યાખ્યા : જૈન આગમોમાં, બૌદ્ધ-દર્શનમાં, પાતંજલ યોગદર્શનમાં થયેલી છે અને ગાંધીજીએ પણ કરેલી છે. બે-ત્રણ હજાર વર્ષથી જે ચારિત્ર્ય અને આચારની વ્યાખ્યા કરવામાં આવે છે તે સમાજના સંદર્ભમાં કરાઈ છે. અઢા૨ (૧૮) પાપ દર્શાવાયાં છે. જો સમાજનો સંદર્ભ છોડી દઈએ, તો એક જ પાપ છે, અને તે પણ ખૂબ નાનું બની જશે.
આપણે ચારિત્ર્ય અને આચારના વિકાસની વાત કરીએ તે જરૂરી છે, પરંતુ તે માટે સમાજને અને સમાજવ્યવસ્થાને સમજવાં જરૂરી છે. સમાજ શું છે ? સામાજિક વ્યવસ્થાનો આધાર શો છે ? સમાજ કેવી રીતે ચાલે છે ? જો આપણે સમાજના મૂળભૂત આચારને ન સમજીએ તો ચારિત્ર્ય અને આચારને સમજવાં અઘરાં છે. નૈતિકતા તો સમ્પૂર્ણપણે સમાજ પર આધારિત છે. એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે છે, તે છે નૈતિકતા. જૂનો શબ્દ છે ઃ ચારિત્ર્ય. નૈતિકતા શબ્દ આ શતાબ્દીનો શબ્દ છે નીતિ શબ્દ પરથી બનેલો શબ્દ છે : નૈતિકતા. નૈતિકતા સમાજ-સાપેક્ષ છે, તેથી સમાજના મૂળ આધારને જાણવો જરૂરી છે. આ યુગમાં આ વિષયમાં ઘણું ચિંતન થયેલું છે. અણુવ્રતના પરિપ્રેક્ષ્યમાં તેની મીમાંસાથી એક નવો પક્ષ સામે આવે છે.
લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org