________________
(૮) સિદ્ધાન્તને છોડનાર ઘનિષ્ઠ વ્યક્તિને છોડવાની ક્ષમતા. મનનો અવાજ: આત્માનો અવાજ
પદાર્થ ચેતનાના સ્તર પર જીવતી વ્યક્તિ પ્રિય-અપ્રિય સંવેદનોથી ઘેરાયેલી રહે છે. તે સંવેદન દ્વારા નીકળેલા મનના અવાજને આત્માનો અવાજ માની લે છે. હકીકતમાં મનના અવાજને આત્માનો અવાજ માની લેવો એક ભ્રાંતિ માત્ર છે.
નૈતિક ચેતના પર જીવતી વ્યક્તિ પ્રિય-અપ્રિય સંવેદનાથી ઉપર જઈને પોતાના વ્યવહારનું સંપાદન કરે છે, અભ્યાસ કરે છે, તેથી તે પોતાના આત્માના અવાજની નજીક પહોંચી જાય છે.
આધ્યાત્મિક ચેતનાના સ્તર પર જીવનાર વ્યક્તિ આંતરિક અનુભૂતિમાં રહે છે. આત્માના અવાજનો અધિકાર તેવી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સમતા કે વીતરાગતાનો અવાજ જ આત્માનો અવાજ
શિક્ષણની ચતુષ્પદી
આજની સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિઓએ શિક્ષણ સામે પ્રશ્નો જ પેદા નથી કર્યો, પરંતુ ખુદ શિક્ષણને જ પ્રશ્નચિહ્ન બનાવી દીધું છે. જે શિક્ષણનું પરિણામ સામાજિક જીવનમાં સામંજસ્ય, આર્થિક જીવનમાં કરુણા અને રાજનૈતિક જીવનમાં ત્યાગ ન હોય, તે શિક્ષણને શું સાર્થક માની શકાય ? શિક્ષણની સાર્થકતાની શોધ માનવીય અસ્તિત્વની શોધ છે. તે કોઈ પણ વૈજ્ઞાનિક શોધથી ઓછી મહત્ત્વપૂર્ણ નથી. શિક્ષણની શોધ માટે આપણે શિક્ષણની ચતુષ્પદી પર વિચારીએ. આદર્શ, ઉદ્દેશ, પદ્ધતિ, સામગ્રી વગેરે ચાર શિક્ષણ-પદો છે.
આદર્શ
શિક્ષણનો આદર્શ છે : સ્થિતપ્રજ્ઞતા. લાભ-ગેરલાભ, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, માન-અપમાન, જીવન-મરણ વગેરે દ્વન્દ્રોની સ્થિતિમાં જેની પ્રજ્ઞા સમત્વની અનુભૂતિ કરી શકે, તે સ્થિતપ્રજ્ઞ હોય છે. સ્થિતપ્રજ્ઞતાને આધ્યાત્મિક ચેતના, આત્માનુભૂતિ અથવા આત્મોપલબ્ધિ કહેવાય છે.
ઉદ્દેશઃ
શિક્ષણનો ઉદ્દેશ છે : સવગી વ્યક્તિત્વનો વિકાસ. એનાં ચાર અંગ છે : શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવાત્મક વિકાસ.
આદર્શની દિશામાં આગળ વધવા માટે સવગી વ્યક્તિત્વનો વિકાસ અનિવાર્ય અપેક્ષા છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org