________________
મેલાં ક્યાં મેટું બાંધે, ઘેર ઘેર ભિક્ષા ફરતા; માંદા માણસની પરે થવું, બેલે જાણે મરતા–શ્રી. ૧૭ ટૂંઢત હૃઢત હૃઢત પ્રાણું, તેહી ધર્મ ન પાયા; તે માટે ઢંઢક કહેવાણ, એળે જન્મ ગમાયા–શ્રી. ૧૮ ભાવ ભેદને તત્વ ન જાણે, દયા દયા મુખ ભાંખે; મુગ્ધ લેકને ભ્રમમાં પાડી, તેને દુર્ગતિ નાંખેશ્રી૧૯ ભાષ્ય ચૂર્ણ ટીકા ન માને, કેવળ સૂત્ર પિકારે, તે માંહિ નિજમતિ કલ્પના, બહુ સંસાર વધારે–શ્રી. ૨૦ બાહિર કાળા માંહિકાળા, જાણીએ કાળાવાળા, પંચમ આરે દુષ્ટ એ પ્રગટ્યા, મહી મૂઢ વિકરાળા–શ્રી. ૨૧ ઢંઢક પચવીસી મેં ગાઈ, નગર નડેલ મેઝાર; જશવંત શિષ્ય જિનેન્દ્રય પંથે, હિત શિક્ષા અધિકાર–શ્રી. ૨૫
ઉપરની કડીઓથી જરૂર અમારા સ્થાનકવાસી ભાઈઓને દુઃખ થાય જ. એમાં કંઈ આશ્ચર્ય નથી. પણ પિતાને દુઃખ પેદા કરતી કડીએ જ સમાજ સામે રજુ કરી સત્ય હકિકત દર્શાવતી કડી ઉડાવી દઈ તંત્રીશ્રીએ સત્ય વસ્તુનું ખૂન કર્યું છે. સત્ય હકિકત દર્શાવતી કડીઓ વાંચકે વિચારે તે તેમને સ્પષ્ટ સમજાઈ જસે કે મૂર્તિ વિરોધ ઉપદેશ કરનારાઓની ભ્રમજાળમાં મુગ્ધ જનતા ફસાઈન જાય એ માટે કૃતિકારે આ કૃતિ બનાવી છે. તે પચવીસીમાંની મુખ્ય કડીઓ જૈન સિદ્ધાંતના તંત્રીશ્રીએ કઈ કઈ છોડી દીધી છે તે સત્ય વસ્તુના સંરક્ષણના હેતુએ વાંચકે સમક્ષ જણાવી દઈએ છીએ. કેવળ નાણું નહિ ચઉનાણું, એણે સમે ભરત મેઝાર; જિન પ્રતિમા જિન પ્રવચન જિનને, એ માટે આધાર–શ્રી. ૨ જિન પ્રતિમા દર્શનથી દંસણ, લહીયે વ્રતનું મૂળ તેહિ જ મૂળ કારણ ઉત્થાપે, શું થયું એ જગશળ–શ્રી જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org