SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ-ગ્રંથિ (Īથે, ગાંઠ, બંધન) છે; મોહ, મૃત્યુ (મા) અને નરક (નિર) છે. તેમાં જ લોકો જકડાયેલા (હિણ પ્રથિત, બંધાયેલા) રચ્યા રહે છે (૨.૧૪, ૩.૧૫, ૪.૩૬, ૫.૪૪, ૬.૫૨, ૭.૫૯) ત્રીજા અધ્યયન શીતોષ્ણીયમાં આવી સાંસારિક દશાને આવર્ત-સ્રોતની (આવટ્ટ સૌર્ ૩.૧.૧૦૭) સંજ્ઞા આપી છે. આવર્ત શબ્દ કોઈવાર ગુણો સાથે અને કોઈવાર સૌર્ સ્ત્રોતસ્, સ્રોત, પ્રવાહ) સાથે સંકળાએલો છે. (સરખાવો - ‘‡ સોતા અદ્દે સોતા તિથિં સોતા...તે સોતા...નહિં સંન્ તિ...આવમેયં તુ...'' ૫.૬.૧૭૪). સ્રોતને બદલે ોય (ધસમસતો પ્રવાહ, પૂર) શબ્દનો પ્રયોગ પણ થયો છે, જેમકે સ ગોયંતરે મુળી (૨.૬.૯૯ = ૫.૩.૧૬૧ : પૂર પ્રવાહ તરી જનાર એ મુનિ છે...). શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ આવી જ પરિભાષા યોજાઈ છે. તેમાં સંસારના વર્ણન માટે યોનિ (કારણ), સ્રોત, આવર્ત, ઓઘ, પર્વ (ગ્રંથિ - ગાંઠ, બંધન), ગુણ, જેવા શબ્દપ્રયોગો થયા છે. જેમકેઃ પંચસ્રોતોડવું...પંવાવ પંચવુ:ૌષને...પંચપામથીમ । સ્મિન્ સો ગ્રામ્યતે બ્રહ્મવત્ઝે (૧.૫,૬), સ્ત્રોતાંસિ સર્વાળિ...પ્રતોત વિદ્વાન્ (૨.૮), આરમ્ય શિશુળાન્વિતાનાિ...(૬.૪)*. આચાર બ્રહ્મચર્યનાં બાકીનાં અધ્યયનો (૨-૮) શસ્ત્રપરિજ્ઞાની આવી પ્રાચીન વિચારધારાને અનુસરે છે અને વત્તે ઓછે અંશે તેમાં વિકાસ કરતાં રહ્યાં છે. તેના ફક્ત ધ્યાન દોરે એવા વિશિષ્ટ મુદ્દા જ હવે આગળ દર્શાવવામાં આવશે. § ૧.૨ આચાર - બ્રહ્મચર્ય - લોકવિચય (આચાર ૨. ઉદ્દેશો ૧-૬) શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુનિઓને કેંદ્રમાં રાખીને તત્ત્વવિચારણા કરી હતી, પરંતુ બીજા અધ્યયન લોકવિચયમાં (‘‘લોકની પરીક્ષા’’ : સરખાવો- ચિપ્ ોણ...૨.૧.૯૩ લોકવિચય માટે જુઓ ભટ્ટ-૧૯૮૧) સંસારી જીવોને કેંદ્રમાં રાખીને વિચારણા કરી છે અને પાપ કર્મોના સમારંભના ત્યાગ દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવતો શસ્ત્રપરિક્ષાનો આદર્શ સંસારી લોકોમાં પહોંચાડયો છે. માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, બાળકો, મિત્રો, વગેરેને પોતાનાં સ્વજન માની તેમના જીવનનિર્વાહ માટે, અથવા તો પોતાના ઉત્કર્ષ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે છે તે બધાં પાપકર્મ ગણાય છે. જીવનકાળ દરમિયાન તેનાથી સુખ પણ મળતું નથી કે મૃત્યુ બાદ તેનાથી મુક્ત પણ થવાતું નથી. તે કર્મોથી કોઈ પણ આદર્શ સિદ્ધ થઈ શકતો નથી (૨.૧.૬૪,૬૬,૬૭ઃ સરખાવો સૂત્રકૃતાંગ I:૨.૧.૧૬-૨૨; I:૨.૩.૧૬-૧૭, I.૩.૨. ૨.૧૮; I.૧૧.૩.૬). ભાગ્યવશ ઇંદ્રયો શિથિલ થઈ જતાં કે ધનમિલકતનો ઉપભોગ પણ ન થઈ શકતાં, સ્વજનો અને બધા લોકો તેની નિંદા કરશે (૨.૧.૬૪). તે સ્વયં રોગગ્રસ્ત થતાં તેના સ્વજનો જ તેને તરછોડશે (સરખાવો ૨.૧.૬૭, ૨.૨.૮૧). કટોકટીના પ્રસંગોમાં જરૂર આવી પડતાં સ્વજનો, મિત્રો કે ધનવૈભવ ; કોઈ કોઈનું રક્ષણ નહીં કરી શકે (નાલં તે તવ તાળાછુ ના સરાણ ના તુમ પિ તેસિ નાાં તાળા" વા સરળામ્ વા...૨.૧.૬૪, ૬૭. ૨.૪.૮૧ સરખાવો ૨.૩.૭૯; ૨.૩.૮૨; સૂત્રકૃતાંગઃ- I.૨.૩.૧૬, I.૯.૩-૫; I.૧૦.૧૯-૨૦, ઉત્તરાધ્યયન ૬.૩ સુત્તનિપાત ૩૪.૬ તથા ભટ્ટ ૧૯૯૩). ગર્ભ ઉપનિષદ પણ જણાવે છે કે ‘યન્નયા પરિઝનસ્યાર્થે તું ર્મ શુભાશુભમ, પાજી તેન વોડડ્યું તાસ્તે તમોનિત: (કુટુંબીઓ માટે મેં જે શુભ-અશુભ કામ કર્યું તે મને એકલાને જ બાળી રહ્યું છે, પણ તેનાં ફળ ભોગવનારા ચાલ્યા ગયા !'' ૪.૧૭). મનુસ્મૃતિ (૪.૨૩) કહે છે કે નામુત્ર ત્તિ સહાયાર્થ પિતા માતા ચ તિષ્ઠત:, ન પુત્રવારી ૧ જ્ઞાતિર્ધર્મસ્તિષ્ઠતિ વત: (પરલોકમાં મદદ માટે માતિપતા રહેતાં નથી. પુત્રપત્ની પણ નહીં અને જ્ઞાતિજનો પણ નહીં; ધર્મ એકલો જ રહે છે.) આ રીતે લોકની - સંસારની - સમીક્ષા કરીને કર્મસમારંભ ન આચરવો. કારણકે, બધાં પ્રાણીઓને જીવવું ગમે છે, પોતાનો જીવ પ્રિય હોય છે (સદ્ધે પાળા...પિયગોવિળો નીવિકામાં, સન્દેસિ નીયિં યિં ૨.૩.૭૮, સરખાવો દશવૈકાલિક ૬.૧૧; આચાર ૪.૨.૧૩૯. મહાભારત અનુશાસનપર્વ ૧૧૩.૧૨: 7 દ્દિ પ્રાળાપ્રિયતાં તો શ્વિન વિદ્યતે લોકમાં પ્રાણથી વધારે પ્રિય કંઈ હોતું નથી). આ પાપ કર્મોના મૂળમાં ગુણો - શબ્દ, સ્પર્શ, વગેરે - રહ્યા છે (ને મુળે તે મૂલઠ્ઠાળે,...૨.૧.૬૩). ધીરપુરુષે આ કર્મોને દુઃખરૂપ જાણી તેનો ત્યાગ કરવામાં પ્રમાદ ન કરવો (૨.૧.૬૫), પણ આત્માર્થે (યદું ૨.૧.૬૮) સમ્યક્ આચરણ કરવું. સૂત્રકૃતાંગ પણ જણાવે છે કે તેઓ ઓધ સંસારપ્રવાહ - તરી જાય છે (જુઓ I.૩.૪.૧૮ તે ઓર્થ તસ્કૃિતિ). ૮ ] [ સામીપ્ય ઃ એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International – For Personal and Private Use Only ܫܢ www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy