SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] જીવન સાફલ્ય દર્શન- ત્રણને પિલા કરે.” આ મેં ક્યાં અને ક્યારે કહ્યું હતું ? વાપી ગામમાં ભગવાન્ શ્રી મહાવીરદેવના જન્મકલ્યાણ દિવસે આ વાત થઈ હતી. તે વખતે છાપાવાળાએ એને બોમ્બ કહ્યો. શાસનના વિરોધી વગે એ બોમ્બની વિપરીત જાહેરાત કરવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેના મને ફળ્યા નહિ. વિરોધીઓથી લેશ પણ મૂંઝાવું જોઈએ નહિ. એક રીતે તે તેઓ પિતાના આત્માનું બગાડીને પણ આપણને જાગૃત રાખે છે. આજ્ઞા ન માનવી હેય તે રાજીનામું આપવું કે નહિ ? એક નાની સોસાયટી હેય, ભલે બાળકોની હેય, તે એ પણ પિતાના ઉદેશે ઘડે છે ને લખે છે કે જે કોઈ આ ઉદેશને નહિ માને, આ નિયમોને તડશે તેને ડીસમીસ કરવામાં આવશે.” બાળકોની સોસાયટીમાં પણ આ નિયમ ખરે, અને શ્રી જૈનશાસન માટે કોઈ કાયદો જ નહિ, કેમ? મારા એ કહેવામાં અન્યાય ક્યાં હતો ? દલીલને અભાવ ક્યાં હતું? ગમે તેવા પ્રસંગે પણ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને શિર ન મૂકાવીએ તે એ કેમ ચાલે? બ્રિટિશ ગવર્નમેન્ટમાં ગમે તે ઉપરી અમલદાર પણ, પોતાથી થયેલ કાયદા વિરુદ્ધ વર્તનને સુધારી લેવામાં આનાકાની નથી કરતો. હાઈકોર્ટ જજ હેરફેર બેલે ને ધારાશાસ્ત્રી કહે કે “સાહેબ ! આપનું બોલવું કાયદા બહાર જાય છે,” તે તે જે કાયદા બહાર હોય તે શબ્દો પાછા ખેંચી લેવામાં જરાયે નાનમ નથી માનતે. તેમ અમે કે તમે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા આગળ એ પ્રમાણે નમેલા જ હઈએ. આજ્ઞા ઊંચી કે આપણે ઊંચા ? આજ્ઞા ન માનવી હેય છતાં એમાં રહેવું એ ડખો ખરો કે નહિ ? આજ્ઞાને આધી મૂકી દુનિયા સાર કહે તેમ વર્તનારા શાસન માટે શા કામના ? શાસનનું કામ ન હોય અને દુનિયાનું કામ હોય છે તેમ સાફ કહી દેવું કે જેથી કોઈ આ શાસનના છે એમ માનીને ઠગાય નહિ. આમાં કાંઈ ખોટું કે દલીલ વગરનું છે? નહિ જ. એથી હું તે તમને પણ કહું છું કે તમે જે ભગવાન શ્રી મહાવીરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy