SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના ઉપાસક કોણ બની શકે ? [ ૬૭ જુએ કે કોઈ મહાત્મા-મહષિ અતિથિ પધારે તે સારું કે જેથી મને ભક્તિને લાભ મળે. દરેક શ્રાવક ઓછામાં ઓછા એક સાધમીને સાથે બેસાડ્યા વિના ન જમે તે એક પણ સાધમી ભૂખે ન રહે. સાધમ કોને કહે? ચાંલ્લાવાળાને ? હા. હાલ એટલું સામાન્ય; વિશેષ વર્ણન આગળ. ચાંલ્લાના વિરોધીને નહિ, ચાંલ્લાની મહત્તાને મને, ચાંલ્લાવાળાને હાથ જોડે અને વધુમાં જ્ઞાનીએ કહેલું માનેકબૂલે તે જૈન. સભામાંથી પ્રશ્ન : પેટ ભરવાને ચાંલ્લા કરનાર માટે શું થાય ? પેટ ભરવાને ચાંલે કરનારા મુગ્ધ શ્રાવક પણ સારાના સહવાસે સાચા શ્રાવક બની જાય. ખોટા સિકકે લઈને આવેલ પણ શાણું વેપારીના સહવાસે ભૂલ કબૂલે, ફરી એવું નહિ કરું એવું કહે. તમે ધારે તે એવા મુગ્ધને સુધારી શકો, પણ તમારામાં સાચી ઉદારતા ક્યાં છે? સાચી ઉદારતા નહિ હોવાનું કારણ સાધમી પ્રત્યે સાચે રાગ નથી, સાચો સાધમ પ્રેમ નથી એ છે. એ પ્રેમને જાગૃત કરવા માટે સમજે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રાવક અને શ્રાવિકા એ છઠ્ઠ અને સાતમું પુણ્યક્ષેત્ર છે. પહેલાં બાપ કે પહેલો દીકરે ? શ્રી જિનભૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ– આ ત્રણ ધર્મદાતા; ધર્મરૂપ. આ ત્રણ મુખ્ય ક્ષેત્રેને માને તે જ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા અને એ જ કારણે તે ભક્તિનાં ક્ષેત્ર છે. એ ત્રણને ન માને, ન પૂછે અને એમની આજ્ઞામાં જ કલ્યાણ છે,” એવું જે ન સ્વીકારે તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, કે ન શ્રાવિકા હવે વિચાર કરે કે શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને અને એ ત્રણની ઉપાસનામાં જ જીવનશ્રેય સમજનાર સાધુ અને સાધ્વી એમ પાંચેને તારક તરીકે સમજનાર શ્રાવક અને શ્રાવિકા એ કદી જ એમ માને કે અમે ન હેત તે એ પાંચનું શું થાત? એ પાંચની સેવા કોણ કરત? દીકરે કદી એમ માને કે “હું ન હતું તે મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy