________________
૪૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
શ્રવણ નકામું. એકલી શ્રદ્ધા આવે તે ડું ઘણું સફળ, પણ શ્રદ્ધા અને વર્તન બંને આવી જાય તે સંપૂર્ણ સફળ. ત્રણમાંથી એકે ન કરીએ તે મનુષ્યજીવન તદ્દન નિષ્ફળ અને એ ત્રણની વિરુદ્ધમાં વર્તાય તે આ અનુપમ મનુષ્યજીવન પારાવાર નુકસાન કરનારું થાય. આથી વિવેકીઓની ફરજ છે કે તેઓએ આ જીવન નુકસાનકારક ન નીવડે તેની કાળજી રાખી અને નિષ્ફળ ન જાય એની સાવચેતી રાખી આ ઉત્તમ જીવનને સફળ બનાવવા શક્તિને અનુરૂપ પ્રયત્નમાં અવિરત મસ્યા રહેવું જોઈએ એ જ એક શુભાભિલાષા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org