SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વને મહિમા [ ૨૦૧ કદી સહન કર્યો નથી. મહારાજા શ્રેણિક વિચારે છે, કેટલે સુકમળ! રાજા ભેજન આદિ કરીને જાય છે. થેડા જ દિવસ પછી શ્રી શાલિભદ્રની માતા રાજા પાસે જઈ કહે છે “રાજન ! મને આજે આપને પટ્ટહસ્તિ, છત્ર, ચામરાદિ આપવાની કૃપા કરે. મારે મારા શાલિભદ્રને દીક્ષા-મહોત્સવ કરે છે.” શ્રેણિક મહારાજા કહે છે કે કોણ ? શાલિન ભદ્ર? દીક્ષા લે છે? મા કહે છે, રાજન ! એ શાલિભદ્ર આજે બદલાઈ ગ છે. મહારાજા શ્રેણિક વિચારે છે, આ ભેગીને ધન્ય છે. સંસારકર્દીમમાં કીડે હું છું. આ સુકમળ શાલિભદ્ર સંયમ લે છે ! ખરે ભેગી. ખરા ભેગીનું એ લક્ષણ છે કે કર્મના યોગે ભેગવવા પડે ત્યાં સુધી ભગવે, પછી લાત મારી ફેંકી દે. શ્રી શ્રેણિક મહારાજા માતાને કહે છે કે હવે તમારે કહેવાની જરૂર નથી. શ્રી શાલિભદ્રને દીક્ષા-મહેત્સવ હું કરીશ. જે શ્રેણિક મહારાજાએ પહેલી વાર આમંત્રણ માગ્યું હતું તે શ્રેણિક મહારાજા આજે પિોતે સ્વયં શ્રી શાલિભદ્રને ઘેર જાય છે. શ્રી શાલિભદ્રને પિતે જાતે સ્નાન કરાવે છે. મગધને માલિક સ્નાન કરાવતાં કહે છે કે “તું મહાન છે, ધન્ય છે, મેરૂને ભાર ઉપાડવા તૈયાર થયેલ છે. અરે ભેગી. અમે પામર. પુણ્યવાન ! તું તરી ગયે, અમે રહી ગયા.” શ્રી શ્રેણિક મહારાજા પોતે શ્રી શાલિભદ્રને સનાન કરાવી અલંકાર સજાવી, પાલખીમાં બેસાડી, આગળ છડીદાર બને છે. એઓ સમજતા કે, હું રાજા પણ આવાને તે પદાર. જે વખતે રાજા શ્રેણિક પોતે શ્રી શાલિભદ્રને ચોપદાર બને ત્યારે દુનિયામાં કઈ છાયા પડ? મવીધી ન રમ” એને જેના હૃદયમાં જાપ ચાલતું હોય, તેને કઈ સંસારમાંથી નીકળતો હોય ત્યારે આનંદની સીમા ન રહે. તમને રાજાએ આખા કુટુંબ સાથે કે પૂર્યા હોય ને થડા દિવસ પછી એમ હુકમ થાય કે પહેલે તમારા છોકરાને છોડવાને, ત્યારે તમને શું થાય? ભલે દીકરે આજ છૂટે, છૂટશે તે આપણને પણ એ છેડાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy