SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વને મહિમા || ૧૯૯ એ દેવતાઈ ભંગ ભગવતે હતે. જો શ્રી શાલિભદ્ર ધારે તે એમ કહી શકે તેમ હતું કે માતાજી, જાઓ, કહી ઘો કે માલિક ન જોઈએ. એને થાય તે કરી લેશે. પિતાના બાપ ગોભદ્ર શેઠ દેવ હતા, તેની પાસે લશ્કર મંગાવી લડી શકતે. પણ એ વિચાર ન આવે, કારણ કે એ સમ્યગદષ્ટિ કે સમ્યગદષ્ટિ જેવા હતા. શ્રીમાન શ્રેણિક મહારાજા પણ અવિરતિના ઉદયવાળા હોવા છતાં પણ ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્ત હતા. શ્રી શાલિભદ્ર માતાના કહેવાથી નીચે ઊતર્યા. દેવકુમાર જેવા, સુકોમળ શરીરવાળા શ્રી શાલિભદ્રને જોઈ મહારાજા શ્રેણિકને પ્રેમ જાગે. દાદરેથી ઉપાડે. પ્રેમથી પિતાના ખેળામાં બેસાડ્યો. શ્રેણિકે પૂછયું, કેમ છે? તમારે ઘેર કેઈસજા આવે તે નહિ પણ માને કે આવે ને તમારું સન્માન કરે તે શું થાય? કોઈ મોટો માણસ શેકહેન્ડ કરે છે? તમારે અરે ભવ તે ત્યાં જ બગડી જાય. જરા અમલદારની ઓળખાણ થાય તે જ્યાં ત્યાં બોલાયા કરે કે પોલીસ કમિશનરે મારા હાથમાં છે. પોલીસસુપ્રિન્ટેન્ડેન્ટ મારા હાથમાં છે. આમ કરું ને તેમ કરું. પછી? પછી શુ ? અન્યાય ને અનર્થ. મહારાજા શ્રી શ્રેણિક, મગધ દેશના માલિક શ્રી શાલિભદ્રને પૂછે છે, કેમ છે? શ્રી શાલિભદ્ર કહે છે કે આનંદ છે, દેવગુરુના પસાયથી. આપની પણ મહેરબાની જોઈએ. દેવગુરુનું વચન સાંભળી રાજા વિચારે છે કે ખરે, ભેગની આવી અવસ્થામાં દેવગુરુને ભૂલતું નથી. સમ્યગદષ્ટિની ખરી કસેટી આવા પ્રસંગે જ થાય છે. તમે દેવગુરુનું સ્મરણ કેટલીક વાર કરે છે? ઘેર મિથ્યાષ્ટિ આવે તોયે આવા સમ્યગદષ્ટિની ભાવનાથી સમ્મદષ્ટિ બની જાય. ગુરુની મહત્તા : શ્રી અકબર બાદશાહના હૃદયમાં જગદ્ગુરુ ભટ્ટારકાચાર્યશ્રી હીરસૂરિજી મહારાજ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરનાર શ્રાવિકા ચંપાબાઈ હતી. બાઈ ચંપાએ પતે કઠિન તપશ્ચર્યા કરી છે. અકબરે પૂછ્યું કે આવી તપશ્ચર્યા શાથી થાય છે. ત્યારે તે તપસ્વિની બાઈ શ્રીમતી ચંપાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy