SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ - વચચેના વિન્નો દૂર થવા, સાધક સંજોગો મળવા, શક્તિનો સંચય થે, ને આગળ વધવું એ સર્વને પ્રયત્નમાં સમાવેશ થાય છે, કે જે વાભાવિક છે ને પ્રવૃત્તિસાધ્ય પણ છે, એમ બે પ્રકાર ભેદ અને અભેદ બુદ્ધિની અપેક્ષાએ વિચાર કરતાં સમજાય છે. તેથી વિકાસને પ્રયત્નસાધ્ય-પુરુષાર્થ સાધ્ય કરી શકાય છે, ને તેથી વિકાસ કરવા માટે પુરુષાર્થની જરૂર પડે છે. એ નિર્ણય થાય છે. આ ત્મા નું મ હા જી વન અને પે ટા છ વ નઃ આ ઉપરથી આપણે જોઈ શક્યા કે –પ્રત્યેક પ્રાણીના આત્માને ચાલુ જીવન, અને મહાઇવન-જે ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં ચાલુ રહેશે અને વર્તમાનમાં ચાલુ છે એમ બે જીવન છે. વર્તમાન ચાલુ જીવન મહાજીવનનું એક પેટાજીવન છે. એ રીતે આપણું હાલનું જીવન અનાદિ કાળથી ચાલ્યા આવતા આપણા આત્માના મહાઇવનનું એક પેટાજીવન છે. મહાજીવનના વિકાસમાં પેટાજીવનના વિકાસે મદદગાર છે, પેટાજીવનના વિકાસને સરવાળે તે મહા જીવનને વિકાસ. તેથી પેટાજીવનના વિકાસ કે જરૂરીઆતે એવી રીતે સિદ્ધ કરેલી હોવી જોઈએ કે, જે મહાવનના વિકાસને કે જરૂરીઆતોને રેકે નહીં, પરંતુ ઉલટાં તેમાં સહાયક થાય, પરિણામે તેમાં ભળી તેમાં વધારો કરે. કોઈપણ પેટા જીવનના વિકાસને પ્રવાહ મહાજીવનમાં વિકાસના અંશને ઉમેરો કરતા હોય, તે રીતે પેટાજીવન જીવવું જોઈએ. મહાવિકાસને સાધક રીતે પેટાજીવન કદાચ કેઈથી નજીવી શકાય, તેને એટલે બધો વધે નથી.પરંતુ મહાવિકાસને રોધક થાય, તે રીતે પેટાજીવન તો ન જ જીવવું જોઈએ. મહાવિકાસના રોધક તરીકે પેટાજીવન જીવનાર કરતાં અરોધક રીતે જીવનારને ઉચ્ચ દરજજો છે. પષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy