SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. આ રીતે પ્રાણીના વિકાસ અને પતનના ચક્રો પ્રાણના વિકાસ કે પતનના મોટા ચક્રમાં મદદરૂપ થાય છે. તે સમજવાથી શરીરમાં રહેલા-આત્માને વિકાસ કેવા ક્રમથી અને કઈ રીતે થાય છે, તે સમજવાનું સરળ અને રસમય થશે. કોઈપણ પ્રાણીમાં રહેલે કોઇપણ પ્રાણ–આત્મા પૂર્વની વિકાસ ભૂમિકામાંથી પસાર થતો થતો હાલ અત્યારે આપણી નજરે દેખાતી ભૂમિકામાં આવી પહોંચે છે-આજે ગાયની સ્થિતિમાં દેખાતે આત્મા કોઈ વખત કીડી અથવા મંકડો કે માખીની સ્થિતિમાં હતું, અને ભવિષ્યમાં કેઈક વખતે તે જ હાથી, કે માણસની સ્થિતિમાં હશે. તેવી જ રીતે આજને માણસ એટલે કે માણસમાં રહેલે આત્મા કઈક દિવસ માખી, મચ્છર, ૬, ગાય કે હાથીના રૂપમાં હતું, ને જે સાદે માણસ દેખાય છે, તેનો આત્મા ભવિષ્યમાં રાજા કે મહાત્મા પુરુષની સ્થિતિમાં દેખાશે. આશય એ છે કે –-પ્રત્યેક પ્રાણીમાં રહેલા આત્માને વિકાસનાં સમગ્ર પગથિયાં ઘણે ભાગે અનુક્રમે ચડવાં પડે છે, અને એમ અનુક્રમથી ચડતાં ચડતાં વિકાસના છેલ્લા પગથિયા સુધી આત્મા પહોંચી જાય છે–તેને પહેચવું જ પડે છે. ક્રમિક વિ કા સ, જાતિ ઓ અને જન્માન્ત રે. જુદી જુદી સ્થિતિમાં રહેલા પ્રાણીઓ – વિકાસમાર્ગના જુદા જુદા પગથિયા પર રહેલા આત્માઓ આપ ને જુદા જુદા સ્વરૂપે જણાય છે. કેટલાક-અમુક એક પગથિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy