SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઘઉ વાવવાથી ચેખા ઉગી શક્તા નથી. અમિમાં નાંખેલું અનાજ પલળતું નથી. ગોટલીમાંથી બે અને તેમાંથી કેરીજ થાય છે, શ્રીફળ થતા નથી. ઐઢ માણસ વૃદ્ધ થઈ મરે છે, પણ તે યુવાન થઈ ધાવણું બાળક બનતો નથી. અર્થાત પરિણામે નિણત ધોરણેજ ઉત્પન્ન થાય છે. તેમજ, નાના પરિણામેના પરિણામો તે આપણે જોઈ શકીએ છીએ. પહેલી પડી ભણેલે બીજી ભણી શકે છે. રીતસર ભણેલા દુનિયામાં માન પામી શકે છે, સામાન્ય લોક વ્યવહારમાં સમતલ રહી શકે છે, અને પરિણામે વ્યવસ્થિત જીવન જીવે છે. વિગેરે વિગેરે. પતન અને વિકાસરૂપ પરિવર્તને કોઈપણ પદાર્થમાં થાય છે. કારણ કે-પતન અને વિકાસ કોઈપણ પદાર્થના સ્વભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પત્તિ અને નાશ પદાર્થોના સ્વભાવ છે. અમુક સ્વરૂપે પદાર્થ બને ત્યારે તે ઉત્પન્ન થયે કહેવાય, અને પૂર્વની સ્થિતિને નાશ કહેવાય. છતાં તેમાં પદાર્થ કાયમ રહે છે. સેનાના જુદા જુદા ઘાટની ઉત્પત્તિ અને નાશ થવા છતાં સોનું કાયમ રહે છે. તે રીતે પતન અને વિકાસ કાઈપણ પદાર્થના સ્વભાવ છે. તે કેટલા થાય? આ પ્રશ્નના જવાબને આધાર પદાર્થની શક્તિ ઉપર છે. અને પદાર્થની પુરેપુરી શક્તિ સુધીના પતને કે વિકાસ, તે તે પદાર્થના અંતિમ પરિણામે ગણાય. દાખલા તરીકે એક માણસ નાના મોટા અનેક કામ કરે છે અને એક નાના કામના પરિણામ રૂપ અમુક અનેક મેટા કામે હોય છે. પણ છેવટમાં છેવટ તેની શક્તિ ક્યાં સુધી પહોંચી શકે? એક દરજી બધા કામની સાથે આખા દિવસમાં દશ કપડાં સીવી શકે. પરંતુ ઉપકરણે સારાં હેય, નિવૃત્તિવાળો હેય, હાથ બરાબર બેઠેલ હોય અને કુશળતા ખૂબ કેળવેલી હેય, તે વધારેમાં વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy