SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પડે, જ્યાં અટકવું પડે તે અંતિમ પરિણામે અન્તિમ મહાવિકાસકે મહાપતન સમજવા. જો એમ ન હોય તે જગતની બધી વ્યવથાજ -પછી તે ગમે તે જાતની હેય-પણ તે દરેક ટી ઠરે છે; જગતમાં સત્ય-અસત્ય અનિણતજ રહે છે. “અમુક કામ કે વર્તન ખોટું છે, કે ખરું છે; અમુક કાર્ય પ્રગતિ છે કે પડતી છે એ ચોક્કસ કરવાનું મુખ્ય ધારણ એ અન્તિમ પરિણામે ઉપર જ છે. અન્તિમ પરિણામે ન હેય, તે પરિણામની પરંપરાને અંતજ ન આવે. કારણ કે – - યદ્યપિ નાના નાના પતન અને વિકાસના પરિણામે આપણે જોઈ શકીએ છીએ, તેના પણ કેટલાક પરિણામે આપણે જોઈ શકીએ છીએ. પછી તેના પણ પરિણામ હૈવાજ જોઈએ. એમ કર્થ સુધી જવું? અને પરિણામેના પરિણામે ન હોય, તો આપણી નજરે જણાતા પરિણામો પણ કાંઈજ નથી, અને વિકાસ તથા પતન પણ કાંઈજ નથી. અને નજરે જણાતા પરિવર્તને પણ કાંઈ જ નથી. ત્યારે બધું જણાય છે, તે શું? ત્યારે તે કાંઈકે છે તો ખરુંજકાંઈક છે, એમ માનીને તેની વ્યવસ્થા ગોઠવવા જતાં અનિત્તમ પરિણામે સુધી પહોંચવું જ પડશે. સારાંશ કે,–અતિમ વિકાસ તરફના નાના મોટા પતને અને વિકાસના પરિણામે તે વિકસે, અને એ જ રીતે, અતિમ પતન તરફના નાના મોટા વિકાસ અને પતનના પરિણામો, તે પતન. આમ પતને અને વિકાસની સંખ્યાઓ ગણીએ, તે અનંત સંખ્યાડ થઈ જાય છે. આ પ્રકરણનો સારાંશ બરાબર અમને હૃદયમાં સમજાતું નથી, ઠસો નથી. તેમજ કાંઈ પ્રશ્ન પણ કરી શકતા નથી. છતાં અમારે અસંતોષ કાયમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy