SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે પરિણામે પતન તરફ-નિરાશા તરફ ગયા. માટે બધી વસ્તુઓ પતન જ કહેવાય. અને જો ઈષ્ટ શહેર પહેાંચ્યા હાત, તે તેજ સર્વ સામગ્રી વિકાસ કહેવાત. એજ રીતે પતન અને વિકાસના નાના મેાટા સજોગાથી ઉત્પન્ન થયેલું એક પરિણામ જો વિકાસરૂપ હાય તા આખી ક્રિયા વિકાસ તરફે છે. અને જો પતન તરફ હાય તેા આખી ક્રિયા પતન છે. એમ પરિણામરૂપી વિકાસ અને પતનનો અંત પણ કાઈ પણ મહાપરિણામરૂપ વિકાસ કે પતન રૂપે આવવાના જ. જેને આપણે અન્તિમ મહાવિકાસ કે અન્તિમ મહાપતન કહીશું. વિકાસ એટલે નવીનતા, ઉત્પત્તિ, પ્રગતિ ચડતી, અને પતન એટલે જીણુતા, નાશ, હાનિ, પડતી. એ તેના સાદા અર્થી છે. અન્તિમ મહાવિકાસ તરફ અવાન્તર પતના કે વિકાસાનું વલણ તે વિકાસ, અને અન્તિમ મહાપતન તરફના અવાન્તર વિકાસ કે પતનાનું વલણ તે પતન. પરિવર્તન તત્ત્વની જેમ વિકાસ અને પતન પણ જગતના સ્વયંસિદ્ધ તત્ત્વા જ છે. વિકાસ રુચિકર ને ઉપાદેય છે, પતન અપ્રિય અને ત્યાજ્ય લાગે છે. ૩. અન્તિમ મહાવિકાસ અને મહાપતન, અન્તિમ મહાવિકાસ અને અન્તિમ મહાપતનનું સ્વરૂપ આપણે જાણતા નથી. જાણ્યા વિના આમ અહ્વર બાજીથી ગાઠવેલી વ્યાખ્યા બુદ્ધિ ગ્રાહ્ય કેમ થઈ શકે ? ભલે આપણે મહાવિકાસ કે મહાપતન ન જોઇ શકતા હોઇ એ, તાપણુ બુદ્ધિથી એટલું તેા સમજીજ શકીશું કે, કાઇપણ નાના કે મેાટા પતન અને વિકાસના ઉત્તરાત્તર કાઇને કાઇ પરિણામે હશે જ. એમ પરિણામેાના યે પરિણામે તરફ જતાં ક્યાંક તા અટકવું જ Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy