SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ K . છે . વિકાસ અને પતન. પરિવર્તન એટલે રૂપાન્તર. અને તેના મૂળમાં ખાસ કરીને બે જાતના તો હોય છે. ઉત્પત્તિ અને નાશ. - કોઈપણું પ્રાણી કે પદાર્થમાં કોઈપણ ગુણ, સ્વભાવ કે અવયવ ને ઉત્પન્ન થતું હોય છે કે જુને નાશ પામતે હેય છે. ઉત્પત્તિને આપણે વિકાસ કહીશું, અને નાશને પતન કહીશું. નાના વિકાસ અને નાના પતનમાંથી મધ્યમ વિકાસ કે મધ્યમ પતન જન્મે છે. અને તેવા મધ્યમ વિકાસ ને પતનેમાંથી તેથી મોટા વિકાસ કે પતન જન્મે છે. અને તેમાંથી બીજા–તેથી મોટા-વ્યાપક વિકાસ કે પતન જન્મે છે. એમ ઉત્તરોત્તર વિકાસ અને પતનમાંથી મોટા મોટા વિકાસે કે પતનો ઉત્પન્ન થતા જાય છે. અને એકન્દર પદાર્થ કે પ્રાણી મહાવિકાસ તરફ કે મહાપતન તરફ આગળને આગળ વધતો જાય છે. દાખલા તરીકે – એક સંશોધક અનેક શોધ કરે છે. એવા અનેક સંશોધકે અનેક શેધ કરે છે, ને સંશોધકો નાશ પામે છે; શેધ કાયમ રહે છે. એવી અનેક શોધે નાશ પામે છે. અને માનવ જીવન આગળ ને આગળ વધે છે. શેકના જન્મ, જુવાની, આનંદ, એ નાના નાના વિકાસે છે. તેને થતા રોગો, મરણ, વૃદ્ધાવસ્થા વિગેરે નાના નાના પતને છે. તેમાંથી શેધ જન્મે છે. શેમાંથી ઉપગી ભાગી સ્કૃતિમાં સંગ્રહિત થઈને બાકીને ભાગ નાશ પામે છે, ને એકંદર, માનવ જીવનને આગળ વધે છે. માનવ જીવનના આગળ વધવા સાથે વિશ્વના નિયમે પોતાના કાર્યક્રમમાં આગળ વધે છે. એમ નાના મોટા વિકાસ અને પતનનું વહેણ મોટા વિકાસ તરફ વહે છે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy