SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જો કે–તે દરેક પરિવર્તન એક સરખાં નથી જ હોતાં, એટલે કે કોઈ સ્થલ, તે કઈ સૂક્ષ્મ હોય છે, અને કોઈ અલ્પકાળે કે અલ્પકાળ માટે થનારું હોય છે, તે કોઈ દીર્ધકાળે કે દીર્ધકાળ માટે થનારું હોય છે. પરંતુ પદાર્થ માત્રમાં પરિવર્તન અવશ્ય થાય છે, એ વિશ્વને અચળ નિયમ છે. અખિ મીંચીને ઉઘાડ–એટલી જ વારમાં આ વિશ્વમાં કેટકેટલી ઉત્થલ પાથલ થઈ ચૂકી હશે? તેને કાંઈ ખ્યાલ આવી શકે છે? તમે આંખ મીંચીને ઉઘાડી એટલી જ વારમાં–ચાલતા માણસ, ઉડતા પક્ષિઓ, દેડતી ગાડીઓ, ચેસ એક સ્થાનકેથી બીજે સ્થાનકે આગળ વધી ચૂક્યા છે. - આપણું અને પ્રાણીમાત્રના શરીરમાં ચાલતા અનેક જાતના સૂક્ષ્મ રફૂરણે પિતાની સંખ્યામાં વધારે કરી શક્યા છે. જુદા જુદા આશયમાં ટપકતા તે તે તેના કેટલાક બિંદુઓ ટપકી ચૂક્યા છે. એ જ વખતે ઘણું પ્રાણીઓ જન્મી ચૂક્યા હશે. અને એ જ વખતે યંત્રોના ચદ અનેક બ્રમણે ભમી ચૂક્યા હશે. - સૂર્ય, ચંદ્ર, રહે અને નક્ષત્રે પિતાની કક્ષામાં કેટલાયે ગાઉ ચાલી ચુક્યા હશે. સમુદ્રમાં કરેડો તરંગો ઉછળી કરોડો શાન્ત થઈ ગયા હશે, ને કરડે પાછા ઉછળવાની તૈયારી કરતા હશે. પહાડો અને ખડકોના પત્થરે અને કરાડોમાંથી પવન, તાપ અને પાણીના ઘસારાથી સંખ્યાતીત રજકણે ખરી ચુક્યા હશે, ત્યારે અનેક નવા પડો બંધાઈ પણ ચક્યા હશે. ભૂગર્ભમાં અને ભૂપૃષ્ઠ પર ધમાર વહેતી સંખ્યાબંધ નદીઓ પિતાને કેટલેય માર્ગ કાપી ચૂકી હશે. જુઓ જુઓ, સામેજ વાદળાના રંગે અને આકારોમાં જોતજોતામાં કેટલાયે ફેરફાર થઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy