SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ બહારના કાટખુણ તરફ દોરાતા જાય છે. તેમાં આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી, શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી વિગેરે મુખ્ય મુખ્ય વ્યક્તિઓ નજરે પડે છે. સંસ્થાઓના રૂપમાં મહાબ્રીટીશ મુત્સદી લેરીપનની રાજ્ય નીતિમાંથી “નેશનલ કોન્ટેસ”ને દેશમાં કાટખુણે પડતાં તેની છાયારૂપે એક તરફ જૈન કોન્ફરન્સ, સેવા મંડળ અને યુવક સુધી બહારના કાટખૂણાઓ આવી પહોંચે છે. તે વખતે નાતેના મોટા સરકલ પાઈને નાના ઘોળ બંધાય છે, તીર્થોના ઝઘડા કે ચડે છે, બિન રોજગારવાળા લેકેને વતનથી ભ્રષ્ટ થઈ દેશદેશાન્તર જવું પડે છે. કેળવણી અને નવી સંસ્કૃતિ પ્રતિષ્ઠામાં આવતી જાય છે. આ તરફ તત્ત્વવિવેચક સભા, દેશવિરતિ, યંગમેન્સ સોસાયટી, ઈત્યાદિ નામથી જ બાહ્ય-અત્યંતરરૂપે જણાતા અનેક કાટખુણાઓ પડતા જાય છે. ઉપાશ્રયને બદલે વિદ્યાશાળામાંથી જૈનશાળાઓ અને તેમાંથી મેસાણા, બનારસ વિગેરે પાઠશાળાઓ, તેમાંથી બોર્ડીગે, તેમાંથી સ્વતંત્ર આશ્રમ અને નિશાળના કાટખુણાઓ પડતા જાય છે. લખેલા પુસ્તકને બદલે મૂળ પુસ્તકો છપાય છે, પછી ભાષાંતરે અને સારાંશે છપાય છે. તેમાંથી આગ પણ છપાવા સુધી પહોંચી જવાય છે, તેમાં ભીમસિંહ માણકથી માંડીને બનારસ પાઠશાળા, ભાવનગરની સભાઓ, શેઠ મનસુખભાઈ ભગુભાઈના તરફનું છાપકામ, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મારફતે આગદર સમિતિ, દેવચંદ લાલભાઇ ફંડ, વિગેરે કાટખુણાઓ મંડાય છે. મૂળવસ્તુઓના પ્રવાહે પણ ચાલુ છે. એક પ્રવાહમાંથી બીજે ફાટે નીકળે, તેમાંથી ત્રીજે, તેમાંથી ચોથે, એમ આદર્શ ભેદથી, ઉદેશ ભેદથી અનેક કાટખુણાઓ આજ સુધીમાં પડતા ગયા છે. તે સર્વ પણ સાથે જ ચાલુ છે. ધર્મમાં સુધારાવધારાના વાતાવરણથી ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy