SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાની શર્યવૃત્તિ, સ્વારથ્ય રક્ષા, દીર્ધાયુષીતાનેટકાવ, નૈતિકજીવન, વ્યવસ્થિક જીવન ચર્યા, ઉચિત વ્યવહાર, નમ્રતા, નિભતા, સદા જાગ્રત સ્થિતિ, વિનય, વિવેક, સ્વરમણતા વિગેરે વિગેરે ગુણે ખીલવવા તે આધ્યાત્મિક જીવન. આવા આધ્યાત્મિક ગુણો કેટલા છે? તે દરેકે દરેક–કેવી રીતે ખીલવી શકાય? તે ખીલવવા માટે ક્યા સાધનેને ઉપયોગ કરી શકાય? ક્યા ક્રમથી ખીલવી શકાય ? ખીલવવાથી શાશા પરિણામે આવે? અને તે પરિણામેથી વિકાસમાં પ્રગતિ ક્યા ક્રમથી થાય? કયા પાત્ર કેમ શરૂઆત કરવી? વિગેરે વિષેના નાના–મોટા, ચૂલ– સૂક્ષ્મ નિર્ણ બાંધી આપનાર, અને એકંદર તે વિષયેનું સગપાંગ સંપૂર્ણ વિવેચન કરનાર શાસ્ત્ર, તે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય છે. તે શાસ્ત્ર જાણવાથી આધ્યાત્મિક જીવનને લગતા ઘણું સિદ્ધાંત જાણી શકાય છે. પરંતુ, આગળના પ્રકરણમાં કહ્યું તેમ, વ્યાયામ, એગ કે સંગીત શાસ્ત્રની જેમ તે શાસ્ત્ર જાણવા માત્રથી જીવનમાં ઉતારી શકાતું નથી. યુક્તિથી અગવડો દૂર કરી દે, અને આગળ ને આગળ પ્રગતિ થાય તેવી સરળ પેજના જયે જાય, તેવા ઉસ્તાદની આધીનતા સ્વીકારીને એકના એક પ્રયોગને ઘણો વખત ઘૂંટ પડે છે. તે જ પ્રમાણે અધ્યાત્મ શાસ્ત્રપણ તાલિમથી એકની એક વાત વારંવાર ઘુંટવાથી– અભ્યાસ પાડવાથી શીખી શકાય તેવું શાસ્ત્ર છે. વાંચવા, સાંભળવા, મેટે કરવા, કે સમજી લેવા માત્રથી તે શાસ્ત્રનું સિદ્ધિ પત્ર–પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકાય તેમ નથી. માટે જે તે શાસ્ત્ર વિકાસપષક હય, જગતને તેની આસ જરૂર હોય, પ્રાણીમાત્રના ભલા માટે તેને પ્રચાર જરૂરને હૈય, તે તે શાસ્ત્રને પોતાના જીવનમાં ઉતારી રાખનારા, કાયમ તેના પ્રયોગોની ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy