SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જગતમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ તીર્થરૂપે જીવંત અને જવલંત કંઇક પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. અને ઉપલબ્ધ ધર્મ રથાનેમાં સર્વ કરતાં પ્રાચીન તરીકે સિદ્ધ છે. તેવી જ રીતે વૈદિક દર્શનને પણ જૈન દર્શનકારે ઘણાજ પ્રાચીન કાળનું માને છે. તેના બીજારોપણને કાળ જૈન ઠેઠ શ્રીષભદેવ પ્રભુના સમયથી જ માને છે. ૧. શ્રી કષભદેવ પ્રભુ સાથે દીક્ષા લેનારાઓ કચ્છમહાકચ્છ વિગેરે રાજાઓ દીક્ષા ન પળી શકવાથી યથાશક્તિ જે જાતના આચારે પાળે છે, અને છેવટે તે જીવન તાપસ જીવન તરીકે ગણાય છે, કે જે ભગવાને તીર્થ રથયા પહેલાં શરૂ થઈ ગયું હતું. ૨. તેમના પિાત્ર મરિચિકે જે મહાવીર પ્રભુને પૂર્વ ભવને જીવ છે, તેને હાથે દીક્ષા પામેલ કપિલમુનિને હાથે સાંખ્ય દર્શનને પાયે નંખાય છે. આ વાત વૈદિક દર્શનકારો પણ કબૂલે છે કે–“સાંખ્યદર્શનના સંસ્થાપક શ્રી કપિલમુનિ છે, અને તે વૈદિક દર્શનેમાંનું પ્રાચીનમાં પ્રાચીન દર્શન છે. અને તેને પ્રકૃતિ-પુરુષવાદ જૈનધર્મના દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિકવાદ સાથે મળી આવે છે. તે દર્શનનું બીજું નામ આદિ દર્શન પણ છે.” ૩. તથા ૮ મા તીર્થંકર પ્રભુની આસપાસ આધુનિક વેદની ઉત્પત્તિ અને વૈદિક દર્શનનું ચણતર માને છે ને ત્યારપછી આરણ્યક અને ઉપનિષદોને કાળ આવે છે. તે સર્વ શ્રી ભગવાન્ મહાવીર પ્રભુના શાસનરૂપ આધુનિક જૈનદર્શનની અપેક્ષાએ, ચેસ પ્રાચીન છે. એમ જૈનો પોતે પણ ખુદ કબૂલ કરે છે. અને તેટલું જ એ આધુનિક જૈન દર્શન [ શ્રી મહાવીર શાસન ) અર્વાચીન છે. . પરંતુ ઋષભદેવપ્રભુ કે જે હાલની સમરત આર્ય માનવજાતિના આદિ પિતા છે. સમગ્ર આર્ય સંસ્કૃતિના આદિ સંસ્થાપક છે. સમગ્ર ૧૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy