SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્યા છે. ઉંચા પ્રકારના નૈતિક આચરણના નમુના રૂપ તેની પારમિતાઓ હૃદયને આ કરી દઈ આદર અને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી છે. બાદ્ધ ભિક્ષુઓની જનસેવા આકર્ષક લાગે છે. ગમે ત્યાં કોઈપણ દુઃખી પ્રાણને જોયું કે, પછી ત્યાંથી ખસવાનું જ નહીં. તેની સારવાર અને આરામ માટે બ્રૌદ્ધ સાધુ દયાદ્રતાથી પિતાની જાતને પણ ભૂલી જાય છે. પિતાના ખાન, પાન અને જીવનની બીજી જરૂરીઆત વિષે પણ બેદરકાર બની જાય છે. આ તેઓને મહાન દેવના જીવન અને ઉપદેશની અસરનું પરિણામ છે. તેથી બુદ્ધદેવના જીવનમાં ચોક્કસ મહત્તા છે. ભારતમાં છેલ્લા બે મહાત્મા પુરુષે ભગવાન બુદ્ધ અને પ્રભુ મહાવીર સ્વામીની જેડ જોડી છે. હજુ સુધી કોઈપણ વ્યક્તિએ તેની પછી જગતમાં એ બેમાંથી એકેયનું પણ રથાન લીધું નથી. ભગવાન મહાવીર સ્વામિનું જીવન કઈ અલલિકજ ભાસે છે. તેના તપ, વિરાગ્ય, જ્ઞાન, મક્કમતા, નિરપેક્ષતા, સામ્યભાવ વિગેરે જુદી જ જાતના છે. તેમનું જીવન કેવળ આધ્યાત્મિક રાજમાર્ગ પર જ સડેડાર ચાલ્યું લાગે જતું સમજાય છે. અને ઠેઠ પરાકાષ્ટા સુધી પહોંચતું હૈય, એમ સ્પષ્ટ જણાય છે. બુદ્ધદેવ તપશ્ચર્યાથી કંટાળીને વજ સાધના અટકાવે છે. અને તેટલા પ્રયત્નથી જે તત્ત્વબોધ હાથ લાગે છે, તેટલાથી જ મધ્યમ બુદ્ધિ અને શક્તિના જન સમાજને ઉપયોગી થાય, તે મધ્યમ ધર્મોપદેશ આપે છે. તેઓ જનસમાજ અને લેકે સાથે ભળે છે. તેમને ઘેર અતિથિ તરીકે જાય છે, ઉતરે છે, આમંત્રણ સ્વીકારી જમવા જાય છે, અને તેમની સાથે ભેજન લે છે, અને ઘણે ભાગે રીવાજ અનુસાર માંસાહાર પણ કરે છે. ત્યારે મહાવીર પ્રભુ સાડાબાર વર્ષ ઘેર તપશ્ચર્યા કરે છે, અને તેમાં ૧૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy