SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારે, ક્રિયાઓ અને વિક્રિયાઓના અનેક રીતના મિશ્રણથી મનુષ્યબુદ્ધિમાં એટલી બધી વિકૃતિ, વિચિત્રતા અને ભિન્નતા આવી ગઈ છે કે બધાનું એક્ય અનિવાર્ય પરિસ્થિતિ લગભગ અશક્ય થઈ પડયું છે. બીજી તરફથી ધર્મનાં મહાન સૂત્રને ત્યાગ કર્યો પછી તેનું સમર્થ રીતે સ્થાન લઈ શકે એવા કઈ પણ મહાસૂત્ર માનવજીવનને સુખશાન્તિમાં પ્રેરવા સમર્થ થયાં નથી. માનવ જાતિની સરળતાભરી બાલ્યાવસ્થાના નિર્દોષ જીવનમાં તાલસંવાદને જે વધારે સંભવ હતો એ સંભવ આપણુ યુગમાં નથી. આપણે કૃત્રિમતાના, સંકરતાના અને સંકીર્ણતાના સ્વાભાવિક વિસંવાદમાં છિયે એટલે જે સ્થિતિ આપણને યદગ્યા પ્રાપ્ત થઈ છે તેનાથી કંટાળવાનું કામ નથી પણ તેને સમજવા અને નિભાવી લેવાને યત્ન આપણે કરવાનો છે. કાળા માથાના માનવીએ થેલોની પેઠે અંતરના ઉંડા સ્નેહ અને અનેક આરતોથી ડેસ–ડેમોના જેવી મીઠી ઉજળી અને ઉદાર ધર્મભાવનાને પ્રાપ્ત કરી છે. સાબિતીઓ શેની? એને એમાં શ્રદ્ધા-વિશ્વાસ છે ત્યાં સુધી જીવન આનંદમય છે. અને આ Ah, what a dusty answer gest the soul When hot for certainties in this our life 1 ને એ પોતાના મનથી “પાક્કો પુરાવો” માને છે તે ખળવામાં અહંકાર અને દૌરામ્યના પ્રતિનિધિ જેવા “આઈઆગેની શીખામણે વળગે છે ત્યારથી એની શાનિતને સૂરજ આથમે છે. સત્ય તો એને મળતું જ નથી પણ મૃત્યુની સમીપ એ જાય છે. એ આપણા તર્કવાદી જેવા “આગ”ને પ્રેરા રૂમાલના ટુકડાભૌતિક સાબિતી સારૂ ભમે છે. એની દેવી એને કહે છે – “it is not lost but what and if it were ?" જેને ધર્મ પ્રત્યે અંતરની પ્રીત છે જેણે એનાં સુખ અને એનાં પવિત્ર અંતર જોયાં છે અને એને રૂમાલને ટુકડે કયાં પડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy