________________
૮૪
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ કરનારા જીવોમાં પણ અન્ય અન્યતર સ્થિતિ વિશેષો બાંધે છે માટે
પ્રકૃતિભેદથી સ્થિતિભેદો અસંખ્યાતગુણા હોય છે. પ્રશ્ન પ૪૧.સ્થિતિભેદોથી ક્યા સ્થાનો કેટલા અધિક હોય ? ઉત્તર સ્થિતિસ્થાન અથવા ભેદો કરતાં સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાને
અસંખ્યાતગુણા અધિક હોય છે. પ્રશ્ન ૫૪૨.સ્થિતિબંધ અધ્યવસાય કોને કહેવાય? ઉત્તર કર્મોનું આત્માની સાથે જે રહેવું તે સ્થિતિ તેનો બંધ તે સ્થિતિબંધ તેના જે
અધ્યવસાયો એટલે પરિણામ તે અધ્યવસાયો કહેવાય એટલે કે કષાયજનિત
જીવના પરિણામ વિશેષો. પ્રશ્ન ૫૪૩. સ્થિતિભેદો કરતાં અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા
શાથી ? સર્વ જઘન્ય એક સ્થિતિભેદ પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનોથી બંધાય છે ત્યાર પછીના સ્થિતિભેદો વિશેષ વિશેષ અધ્યવસાય સ્થાનોથી બંધાય છે. માટે સ્થિતિભેદો કરતાં સ્થિતિબંધના
અધ્યવસાય સ્થાનો અસંખ્યાત ગુણા કહ્યા છે. પ્રમ ૫૪૪. તેનાથી ક્યા સ્થાનો કેટલા અધિક હોય? ઉત્તર સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન કરતાં અનુભાગ એટલે રસબંધના
અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન ૫૪૫. રસબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યગુણા શાથી ?
એક એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનોને વિષે રસબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. અનુભાગ બંધના
અધ્યવસાય સ્થાનો હોય માટે અસંખ્યાતગા કહેલ છે. પ્રશ્ન પ૪૬. રસબંધના અધ્યવસાય સ્થાનો કોને કહેવાય ? ઉત્તર બાંધ્યા પછીના કાળમાં સેવાય, અનુભવાય તે અનુભાગ અથવા રસ તેનો જે
બંધ તે અનુભાગ બંધ તેના જે અધ્યવસાય પરિણામ તે અનુભાગ બંધ
અધ્યવસાય કહેવાય અથવા કષાયજનિત જીવ પરિણામ વિશેષો તે. પ્રશ્ન ૫૪૭. તેનાથી ક્યા સ્થાનો કેટલા હોય? શાથી? ઉત્તર અનુભાગ બંધના અધ્યવસાય સ્થાનોથી કર્મપ્રદેશો, કર્મઔધો અનંતગુણા હોય
છે. પ્રત્યેક સ્કંધ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમા ભાગ જેટલા પરમાણુઓથી બનેલા હોય છે. જ્યારે સઘળાય રસબંધના અધ્યવસાય સ્થાન અસંખ્યાતા લકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે માટે અનંતગુણા સિદ્ધ થાય છે.
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org