SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ :- દર્શનષષ્ક-ભય-જુગુપ્સા-બીજા-ત્રીજા-ચોથા કષાયો પાંચ અંતરાય-પાંચ જ્ઞાનાવરણીયનો તથા મોહનીય અને આયુષ્ય વર્જીને બાકીના મૂલ છ કર્મને વિશે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે જાણવો. બાકીના ત્રણ પ્રકારના પ્રદેશબંધને વિષે અને બાકી રહેલ પ્રકૃતિના સર્વ પ્રકારના પ્રદેશબંધને વિષે સર્વત્ર બે ભેદે બંધ હોય છે. આ ૯૪ || પ્રશ્ન ૪૮૨. ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉત્તર જ્યાં સર્વથકી ઘણાં કર્મસ્કંધો ગ્રહણ કરે કે જેના પછી અધિક ગ્રહણ કરવાના ન હોય તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૩. અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉત્તર ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી ગ્રહણ કરતા સ્કંધોની હાનિ કરતો કરતો સર્વથી અધિક ઓછા સ્કંધોને ગ્રહણ કરે તે અનુષ્ટ પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૪. અજઘન્ય પ્રદેશબંધ કોને કહેવાય ? સર્વથી જઘન્ય કંધોને ગ્રહણ કર્યા પછી અધિક-અધિક સ્કંધોને ગ્રહણ કરતાં કરતાં ઉત્કૃષ્ટ સુધીના સ્કંધો ગ્રહણ કરે તે અજઘન્ય પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૫. જધન્ય પ્રદેશબંધ કોને કહેવાય? ઉત્તર સૌથી ઓછામાં ઓછા કર્મ સ્કંધોને જે ગ્રહણ થાય કે જેનાથી ઓછા ન હોય તે જઘન્ય પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૬. જ્ઞાનાવરણીયાદિ મુલ કેટલા કર્મનો ક્યો બંધ ચાર પ્રકારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય-વેદનીય-નામ-ગોત્ર અને અંતરાય એ છ મૂલ કર્મનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકાર હોય: ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ. પ્રશ્ન ૪૮૭. જ્ઞાનાવરણીયાદિનો અનુષ્ટ બંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર દશમ ગુણસ્થાનકના અંતે ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને અગિયારમાં ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડી દશમે આવે ત્યારે અનુષ્ટ પ્રદેશબંધની આદિ ગણાય તે સાદિ બંધ, તે સ્થાન અપ્રાપ્ય જીવોને અનાદિ, અભવ્ય જીવોને ધ્રુવ અને ભવ્ય જીવોને અધુવબંધ જાણવો. પ્રશ્ન ૪૮૮. જ્ઞાનાવરણીયાદિનાં અજધન્યાદિ બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ બંધ બબ્બે પ્રકારે હોય : ૧. સાદિ ૨. અધુવ. પ્રમ ૪૮૯.મુળ છ કર્મનાં જધન્ય બંધ બે પ્રકારે શી રીતે જાણવા? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ છ કર્મો સર્વ જધન્ય યોગ સુક્ષ્મ નિગોદના જીવો સાત કર્મ બંધ કરતાં જઘન્ય પ્રદેશ બંધ કરે છે. સાદિ. બીજા સમયથી અસંખ્ય ગુણ વૃદ્ધિ યોગની હોવાથી અજઘન્ય પ્રદેશબંધની સાદિ અને શાંત થાય તે અધુવ ગણાય. આ રીતે બે ભેદો ઘટે છે. • Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy