________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૯૭. બીજા ગુણસ્થાનકોને પામવા માટે ઉત્કૃષ્ટ અંતરકાળ કેટલો
હોય ? ઉત્તર મિથ્યાત્વ સિવાયના અગિયાર ગુણસ્થાનકને પામી ફરીથી પામવા માટેનો
ઉત્કૃષ્ટકાળ અર્ધપુદ્ગલ પરાવર્તમાં કાંઈક ન્યૂન કાળ સમજવો તેટલા કાળે
જીવ મોક્ષે જાય જ માટે જણાવેલ છે. પ્રશ્ન ૩૯૮. અગિયાર સિવાયના ગુણસ્થાનકમાં અંતર કેમ નથી ?' ઉત્તર બાર-તેરમા ચૌદમા ગુણસ્થાનકથી જીવોને પડવાનો અભાવ હોવાથી
ફરીથી તે ગુણસ્થાનકને પામવાનું બનતું ન હોવાથી તેનું આંતરું હોતું નથી.
પલ્યોપમ સાગરોપમનું સ્વરૂપ ઉદાર અર્બ ખિત પલિય તિહાસમય વાસય સમએ ! કેસ વહારો દીવો
દહિયા ઉ તસાઈ પરિમાણ | ૮૫ / ભાવાર્થ :- ઉદ્ધાર-અલ્કા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પલ્યોપમ જાણવા તેમાં સમયે-સો વર્ષે અને સમયે વાલાઝનું ઉધરણ કરીએ તે વડે દ્વીપ સમુદ્ર આયુષ્ય અને ત્રસાદિ જીવોની ગણતરી થાય છે. ૮૫ | પ્રશ્ન ૩૯૯.પલ્યોપમ કેટલા પ્રકારના હોય ? ક્યા ? ઉત્તર છ પ્રકારના હોય : ૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ ૨. બાદર અધ્ધા પલ્યોપમ
૩. બાદર ક્ષેત્ર પલ્યોપમ ૪. સુક્ષ્મ ઉધ્ધાર - પલ્યોપમ ૫. સુક્ષ્મ અધા
પલ્યોપમ અને ૬. સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. પ્રશ્ન ૪૦૦.બાદર પલ્યોપમો શા માટે કહ્યા છે ? ઉત્તર આ બાદર પલ્યોપમો ત્રણેય પ્રકારના ફક્ત સમજવા પુરતાં જ કહ્યા છે.
શાસ્ત્રમાં તેને ઉપયોગી તરીકે ગણેલ નથી. માત્ર સુક્ષ્મ પલ્યોપમોને સમજવા
માટે જ જણાવેલ છે. પ્રશ્ન ૪૦૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર ઉત્સાંગુલના માપે એક્યોજન લાંબો પહોળો અને ઊંડો પ્યાલો બનાવવો
તેમાં કુરુક્ષેત્રના માનવીનાં વાલા ઠાંસીને ભરવા (ચક્રવર્તીનું આખું સૈન્ય ઉપરથી ચાલે તો પણ ઢીલા ન પડે તેવી રીતે ભરવા) એક એક સમયે એક એક વાલાઝને કાઢતાં આખો પ્યાલો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને
બાદર ઉધાર પલ્યોપમ કહેવાય છે. પ્રમ ૪૦૨. એક અંગુલ પ્રમાણ વાલાઝની શ્રેણીમાં કેટલા વાલાગ્ર
સમાય ? ઉત્તર એક અંગુલ પ્રમાણ એક વાલાઝની શ્રેણીમાં ૨૦૯૭૧પર વાલાઝો સમય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org