________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ મોહનીય તથા મિશ્રમોહનીય હોય જ છે અને તે બેની સત્તાવાળો જીવ ફરીથી ઉપશમ સમકિત પામી શકે નહિ અને તેના વગર સાસ્વાદન
ગુણસ્થાનક પણ જીવને આવે નહિ. પ્રમ ૩૯૨. સમ્યકત્વાદિ પુંજ હોવા છતાં ઉપશમ સમકિત ન પામે તો
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછી શી રીતે પામે ? મિથ્યાત્વે જઈને સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની પ્રતિસમય ઉદ્વર્તન કરે છે તે બન્નેનાં દલિકોને મિથ્યાત્વમાં નાંખે છે. આ બન્નેની ઉદ્વર્તન કરી સત્તા રહિત બનાવતા પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ જેટલો
કાળ પસાર થાય છે. પ્રમ ૩૯૩. સાસ્વાદન સમ્યકત્વનો કાળ જઘન્ય શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર આવો જીવ બે પુંજની ઉદ્વર્તન કરી ફરીથી ઉપશમ સમક્તિ પામી
અઠ્ઠાવીસની સત્તાવાળો થાય અને ત્યાંથી પડી સાસ્વાદને આવે ત્યારે
જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગણાય છે. પ્રશ્ન ૩૯૪.એકવાર ઉપશમશ્રેણીથી પડી ફરીથી અંતરમુહૂર્તમાં ઉપશમ
શ્રેણી, પડેલો જીવ પ્રાપ્ત કરે તો એક અંતરમુહૂર્તકાળ સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત થાય ને? કેમ ન કહ્યો? વાત સાચી. ઉપશમશ્રેણીથી પડી સાસ્વાદને જાય તે કેવળ મનુષ્યગતિને આશ્રયીને જ હોવાથી અને અલ્પ હોવાથી તેની અહીં વિવક્ષા કરેલ નથી.
અહીં ચારે ગતિના આંતરાને આશ્રયીને વિચારણા કરેલી છે. પ્રશ્ન ૩૯૫. બાકીના ગુણસ્થાનકનો અંતરકાળ કેટલો હોય ?
સાસ્વાદન ગુણસ્થાનક સિવાયના ૧થી ૧૧ ગુણસ્થાનકનો જઘન્યથી અંતરકાળ એક અંતમુહૂર્ત હોય છે. એકવાર ઉપશમશ્રેણી કે જે ગુણસ્થાનકો કહ્યા તે પામી ત્યાંથી પડી ફરીથી અંતમુહૂર્તમાં પ્રાપ્ત કરે ત્યારે એટલો કાળ
પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૩૯૬ મિથ્યાત્વ ગુણસ્થાનકના આંતરાનો ઉત્કૃષ્ટકાળ કેટલો હોય ?
કઈ રીતે ? કોઈ જીવ વિશુદ્ધિના વશથી મિથ્યાત્વનો ત્યાગ કરીને સમત્વ પામે તે ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી સમકિત ટકાવીને એક અંતમુહૂર્ત મિશ્રગુણસ્થાનકને પ્રાપ્ત કરી ફરીથી ૬૬ સાગરોપમ સમકિત રાખીને રહે. જે એટલા કાળમાં મોક્ષમાં જાય તો ઠીક નહીં તો અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. આ કારણથી ઉત્કૃષ્ટ ૧૩૨ સાગરોપમ આંતરું કહેવાય છે.
ઉત્તર
ઉત્તર
ઉત્તર
-
એટલા
છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org