________________
૩૪
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
પ્રશ્ન ૨૦૨.સંજવલન લોભનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે
જણાય ?
ક્ષપકશ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સંજવલન લોભનો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરી દશમેઅગિયારમે જાય ત્યારે અબંધક થાય ત્યાંથી પડી નવમાના પાંચમા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય.
પ્રશ્ન ૨૦૩,સંજ્વલન માયાનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જાણવો ?
ઉત્તર
ઉત્તર ક્ષપક શ્રેણીવાળા જીવો નવમાના ચોથા ભાગે જઘન્ય રસબંધ કરે ત્યારે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરે છે ત્યાંથી અગિયારે જઈ પડી નવમાના ચોથા ભાગે આવી ફરીથી બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ ભવ્યને અધ્રુવ.
પ્રશ્ન ૨૦૪.સંજવલન માનનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ?
ઉત્તર ક્ષપક શ્રેણીવાળા જીવો નવમાના ત્રીજા ભાગે સંજવલન માનનો જધન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજધન્ય રસબંધ કરે અગિયારમે બંધનો અભાવ કરી ત્યાંથી પતન પામી નવમાના ત્રીજા ભાગે અજઘન્ય રસબંધની સાદિ કરે, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ તથા ભવ્યને અધ્રુવ જાણવો.
પ્રશ્ન ૨૦૫.સંજવલન ક્રોધનો અજધન્ય સબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ?
નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ઉપામ શ્રેણીવાળા જીવો અજધન્ય બંધ કરી નવમાના ત્રીજા ભાગથી અગિયારમા ગુણસ્થાનક સુધી બંધ વિચ્છેદ એટલે બંધ કરતા નથી ત્યાંથી પડી નવમાના બીજા ભાગે નવો બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય બંધની સાદિ તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૦૬. ભય-જુગુપ્સાનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે
જણાય ?
ઉત્તર
ઉત્તર
ભય, જુગુપ્સા આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધ વિચ્છેદ થતાં ઉપશમ શ્રેણીવાળા જીવો અજઘન્ય રસબંધ કરી અગિયારમા ગુણસ્થાનક સુધી તેનો બંધ અભાવ પામે છે. ત્યાંથી પતન પામી આઠમાના સાતમા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org