________________
૩૩
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૯૬. આઠે કર્મોમાં સાદિ આદિબંધના ભાંગા કેટલા કેટલા થાય ? ઉત્તર, આઠે કર્મોમાં સાદિ બંધના ૩૨, અનાદિ બંધના ૮, ધ્રુવ બંધના ૮ તથા
અધુવ બંધના ૩૨ = ૮૦ થાય. પ્રશ્ન ૧૯૭.વર્ણાદિ ૪, આદિ પ્રકૃતિઓનો કયો રસબંધ કેટલા પ્રકારે
હોય ? ક્યા કયા ? ઉત્તર વર્ણાદિ ૪, તૈજસ શરીર કાર્મણશરીર, અગુરુ લઘુ, નિર્માણ આ આઠ પ્રકૃતિ
ઓનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪.
અધ્રુવ પ્રમ ૧૯૮.વર્ણાદિ ચારનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ?
શુભ વર્ણાદિ -૪, તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ આ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ સમયે બંધાય. ઉપશમ શ્રેણીવાળા અગિયારમાંથી પડી આઠમાના છઠ્ઠા ભાગે બંધ શરૂ કરે તે અનુત્કૃષ્ટ રસબંધની સાદિ તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ,
ભવ્યને અધૃવ ગણાય છે. પ્રશ્ન ૧૯૯. શુભ વર્ણાદિ આદિ આઠ પ્રકૃતિઓના બાકીના રસબંધ કેટલા
પ્રકારે હોય? કયા કયા? શુભ વર્ણ આઠ પ્રકૃતિઓનાં જઘન્ય-અજઘન્ય-અને ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારનાં
રસબંધ બબ્બે પ્રકારે હોય ૧. સાદિ બંધ ૨. અધુવબંધ. પ્રશ્ન ૨૦૦. ધ્રુવબંધિની બાકીની પ્રકૃતિઓનો કયો રસબંધ કેટલા પ્રકારે
હોય ? કયા કયા ? ઉત્તર ધુવબંધિની બાકીની ૪૩ પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે હોય- ૧.
સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ તે ૪૩ પ્રકૃતિઓ આ પ્રમાણે - જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય -૯, મોહનીય -૧૯, નામ -૫, અંતરાય -૫ = ૪૩. મોહનીય - ૧૯, (૧૬ કષાય, ય, જુગુપ્સા, મિથ્યાત્વ) નામ -
૫ (અશુભ વર્ણાદિ-૪, ઉપઘાત) પ્રમ ૨૦૧. જ્ઞાનાવરણીયાદિ ચૌદ પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ
ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ આ ચૌદ પ્રકૃતિનો જઘન્ય
રસબંધ ક્ષપકશ્રેણીવાળા જીવો દશમાં ગુણસ્થાનકના અંત સમયે કરે છે ત્યારે ઉપશમ શ્રેણીવાળા જીવો આનો અજઘન્ય બંધ કરે ત્યાંથી અગિયારે જાય ત્યારે બંધનો અભાવ થાય ત્યાંથી પડી દશમે ફરીથી રસબંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ હોય.
ઉત્તર
Jain Educationa International
För Personal and Private Use Only
www.jainelibrary.org