SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૨૭ ઉત્તર ચોથા સંઘયણ તથા ચોથા સંસ્થાનની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ત્યાંથી તેની જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સાથે પાંચમું સંઘયણ તથા પાંચમું સંસ્થાન પરાવૃતિએ બંધાય ત્યારે તેના મધ્યમ પરિણામે મંદરસે બંધાય છે. પ્રશ્ન ૧૫૦.હુંડક સંસ્થાન તથા સેવાતે સંધયણનો મંદરસ ક્યારે કયા પરિણામે થાય ? ઉત્તર . હૂંડક સંસ્થાન તથા સેવાર્તા સંઘયણનો વામન સંસ્થાન તથા િિલકા સંઘયણ સાથે પોતપોતાની જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન સુધી પરાવૃતિએ મધ્યમ પરિણામે બંધાય છે. પ્રશ્ન ૧૫૧.દુર્ભગ ત્રિકનો મંદરસ ક્યારે બંધાય ? ઉત્તર દુર્વ્યગ ત્રિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. તે કારણથી તેની પ્રતિપક્ષી પ્રકૃતિઓ જ્યાં લગી બંધાય ત્યાં સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન લગે જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનથી પરાવૃતિએ મંદ પરિણામે બંધાય છે. રસબંધના ભાંગાઓનું વર્ણન ઊતેઅ વન્ન વેઅણિઅ નામણુકોસ સેસ ધ્રુવ બંધી । ઘાઈાં અજહન્નો ગોએ દુવિહો ઈમો ચઊહા || ૭૪ || સેસંમિદુહા । ભાવાર્થ - તૈજસચતુષ્ક-શુભવર્ણચતુષ્ક-વૈદનીયકર્મ તથા નામકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ તથા બાકીની (૪૩) ધ્રુવબંધી પ્રકૃતિઓ અને ઘાતી પ્રકૃતિનો અજધન્ય રસબંધ અને ગોત્ર કર્મના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ બંને રસબંધો એ સઘળાંય ચાર પ્રકારે (સાદી-અવાદિ) છે. 1198 11 બાકીની પ્રકૃતિઓ અને બાકીનાં ત્રણ પ્રકારનાં રસબંધોને વિષે બે પ્રકારે (સાદિ-અધ્રુવ) બંધ હોય છે. પ્રશ્ન ૧૫૨.જઘન્ય રસબંધ કોને કહેવાય ? ઉત્તર જે જે પ્રકૃતિઓનો તથા મૂળકર્મનો સૌથી ઓછામાં ઓછો જે રસ જણાવેલો છે. તે જધન્ય રસ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩, અજધન્ય રસબંધ કોને કહેવાય ? ઉત્તર જઘન્ય રસબંધના સ્થાનથી અધિક રસબંધ કરતાં કરતાં યાવત્ ઉત્કૃષ્ટ રસબંધના અધ્યવસાય સ્થાનકો તે સઘળાં અજધન્ય રસબંધના સ્થાનો કહેવાય છે. પ્રશ્ન ૧૫૪. ઉત્કૃષ્ટ રસબંધ કોને કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy