SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રશ્ન ૧૪૪.મનુષ્યદ્રિકનો ઉત્તર ગોત્ર-૧ પિંડ-૧૬ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ ઉત્તર ઊચ્ચગોત્ર સ્થાવર-૩ ૪ નામ-૨૨ નામ- ૨ ૨ સ-૩ પિંડ-૧૬ (મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી-૬સંધયણ-૬સંસ્થાન- ૨ વિહાયોગતિ) ત્રસ ૩ (સુભગ-સુસ્વર-આદેય) સ્થાવર-૩ (દુર્ભગ-દુસ્વર-અનાદેય) કા પ્રકારની સ્થિતિ બંધના મંદરસ અધ્યવસાય સાથે બંધાય ? પ્રશ્ન ૧૪૫. શુભવિહાયોગતિ આદિ ૭ પ્રકૃતિઓનો મંદરસ કયા સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનકને વિષે બંધાય ? મિથ્યાત્વ ગુણસ્થાનકે અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતબંધના અધ્યવસાય સ્થાનથી મનુષ્યગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે ત્યાં સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન સાથે અંતરમુહૂર્તો અંતરમુહૂર્તે પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે. શુભવિહાયોગતિ, સુભગ, સુસ્વર, આદેય, ઊચ્ચગોત્ર, પહેલું સંઘયણ, તથા પહેલું સંસ્થાન- આ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કોડાકોડી સાગરોપમ છે. આ શુભ પ્રકૃતિઓનો મંદરસ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને પ્રતિપક્ષી પ્રકૃતિઓની સાથે તેઓની જઘન્ય સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે. પ્રશ્ન ૧૪૬.બીજું સંઘષણ તથા બીજા સંસ્થાનનો મંદરસ કેવી રીતે બંધાય ? આ સંઘયણ તથા સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાર કોડાકોડી સાગરોપમ છે. તે કારણથી પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન પરાવર્તમાને બંધાય ત્યારે મધ્યમ પરિણામે પરાવૃત્તિથી આ બે પ્રકૃતિઓનો મંદરસબંધાય તેના જઘન્ય સ્થિતિબંધના સ્થાન સુધીમાં જાણવું. પ્રશ્ન ૧૪૭.ત્રીજું સંઘયણ તથા ત્રીજા સંસ્થાનનો મંદરસ ક્યારે બંધાય ? ઉત્તર ત્રીજું સંઘયણ તથા ત્રીજા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોપમ હોવાથી જ્યારે પરાવર્તમાને બીજું સંઘયણ તથા બીજા સંસ્થાનની સાથે જધન્ય સ્થિતિસ્થાન સુધીનાં સ્થાનકો સુધીમાં મધ્યમ પરિણામે મંદરસબંધાય છે. ઉત્તર પ્રશ્ન ૧૪૮. ચોથું સંઘયણ તથા ચોથા સંસ્થાનનો મંદરસ ક્યારે બંધાય ? ત્રીજા સંઘયણ તથા ત્રીજા સંસ્થાનની સાથે ચોથું સંઘયણ તથા ચોથું સંસ્થાન પરાવર્તમાનરૂપે બંધાય ત્યારે મધ્યમ પરિણામ પ્રવૃત્તિએ તેનો મંદરસબંધાય છે. પ્રશ્ન ૧૪૯. પાંચમું સંઘયણ તથા પાંચમા સંસ્થાનનો મંદરસ ક્યારે થાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy