________________
૧૪
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૭૮. શાતા વેદનીય આદિ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા
ગુણ સ્થાનકના અંતે શાથી બંધાય ? શાતા વેદનીય-ઉચ્ચગોત્ર-યશનામકર્મ આ ત્રણ પ્રકૃતિઓ શુભ (પુણ્ય) પ્રકૃતિઓ હોવાથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ વિશુદ્ધિમાં બંધાય છે. અને તે પ્રકૃતિઓની અતિ વિશુદ્ધિ ક્ષપકશ્રેણીવાળા જીવોને દશમા
ગુણસ્થાનકના અંતે હોય છે. માટે ત્યાં બંધાય છે. પ્રશ્ન ૭૯. ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે? ઉત્તર ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકીનાં જીવો કરે છે. પ્રશ્ન ૮૦. ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકી સિવાય
બીજા જીવો શા કારણથી નહીં ? ઉત્તર ઊદ્યોત નામકર્મ પુણ્ય પ્રકૃતિ હોવાથી તેને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિમાં બંધાય છે.
ઊદ્યોત નામકર્મ પહેલાં તથા બીજા ગુણસ્થાનકે બંધાય છે. બીજા ગુણસ્થાનકવાળો જીવ પતિત પરિણામી હોય છે. તેના કારણે વિશુદ્ધિ ઘટતી નથી. એકથી છ નરકમાં પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિમાં રહેલ જીવો મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતા હોવાથી ઊંધો બંધાય નહીં. તિર્યંચ તથા મનુષ્યમાં રહેલાં જીવો પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિમાં હોય ત્યારે દેવગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ઊત બંધાતી નથી. દેવતાઓ પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિનાં અધ્યવસાયમાં રહેલું હોય ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી ઊત બંધાતી નથી. જ્યારે સાતમી નારકીમાં રહેલા જીવો પહેલા ગુણસ્થાનકના ચરમ સમય સુધી નિયમા તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી પહેલા ગુણસ્થાનકના ચરમ સમયે સમક્તિની સન્મુખ થયેલા
જીવો તે વિશુદ્ધિમાં વિદ્યમાન ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રમ ૮૧. મનુષ્યદ્ધિક-ઔદારિકદ્ધિક તથા પહેલા સંઘયણનો ઉત્કૃષ્ટ
રસબંધ કોણ કરે ? ઉત્તર મનુષ્યદ્રિક-ઔદારિકદ્રિક તથા પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ
રસબંધ સમદ્રષ્ટિ દેવતાઓ કરે છે. પ્રભ ૮૨. મનુષ્યદ્વિક આદિ પાંચ પ્રકૃતિઓ નારકી પણ બાંધે છે. તે
ઉત્કૃષ્ટ રસ શા માટે ન બાંધે ? ઉત્તર મનુષ્યદ્રિક-ઔદારિકટ્રિક તથા પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓને નારકીના
જીવો પણ બાંધે છે. છતાં સમકિતી દેવતાઓને જેવી વિશુદ્ધિ હોય છે તેવી
વિશુદ્ધિ ન હોવાથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધતા નથી. પ્રશ્ન ૮૩. સમકિતી મનુષ્યો તથા તિર્યંચો મનુષ્યદ્ધિક આદિ પાંચ
પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસબંધ શા માટે ન કરે ? સમકિતી મનુષ્યો તથા તિર્યંચો નિયમદેવગતિ પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓને બાંધતાં ન હોવાથી ઉત્કૃષ્ટ રસબંધ થતો નથી.
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org