SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૧૩ ઉત્તર પ્રશ્ન ૭૪. છેવકું સંધયણ ઉત્કૃષ્ટ રસે દેવતા નારકી શા કારણથી બાંધે ? મનુષ્ય અને તિર્યંચો અતિ સંકિલષ્ટ પરિણામમાં હોય ત્યારે નરતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોય ત્યારે છેવઠું સંઘયણ બંધાતું નથી નારકીનાં જીવો એવાં અતિ સંક્લિષ્ટ પરિણામમાં હોય તો છેવઠું સંઘયણ ઉત્કૃષ્ટ રસે બાંધે છે. દેવતાનાં જીવોમાં ભવનપતિ વ્યંતર જ્યોતિષિ તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકમાં વિદ્યમાન દેવતાઓ અતિ સંક્લિષ્ટ પરિણામવાળા હોય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં હોય છે. તે વખતે છેવઠું સંઘયણ બંધાતું નથી તે કારણથી ત્રીજા દેવલોકથી માંડી આગળના દેવલોકવાળા દેવો અતિ સંક્લિષ્ટ પરિણામમાં હોય ત્યારે છેવઠું સંઘયણ ઉત્કૃષ્ટ રસે બાંધે છે. પ્રશ્ન ૭૫. દેવદ્ગિક આદિ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કરે ? ઉત્તર દેવદ્ગિક-વૈક્રીયદ્ગિક આહારદ્ધિક શુભવિહાયોગતિ-શુભવર્ણચતુષ્ક, તૈજસ, કાર્પણ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામકર્મ, શાતાવેદનીય, સમચતુરસ્ત્રસંસ્થાન, પરાઘાત, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, ઊચ્છ્વાસ તથા ઉચ્ચગોત્ર આ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૭૬. દેવદ્રિકાદિ ૩૨ પ્રકૃતિઓમાંથી ક્ષપકશ્રેણીવાળા જીવો કયા કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે ? દેવર્દ્રિાદિ ૨૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે કરે છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી - પિંડ-૧૫, પ્રત્યેક-૫, ત્રસ-૯ = ૨૯. પિંડ-૧૫ 1: દેવગતિ - પંચેન્દ્રિયજાતિ-વૈક્રીયશરીર-આહારકશરીર-વૈક્રીય અંગોપાંગ-આહારકઅંગોપાંગ-તૈજસશરીર-કાર્યણશરીર-સમચતુરસ્ત્રસંસ્થાનશુભવર્ણાદિ – ૪ – શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક - ૫ : પરાઘાત, ઊડ્વાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ. ત્રસ-૯ : ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-શુભગ-સુસ્વર તથા આદેય. ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના અંત સમયે (૧) શાતાવેદનીય (૨) ઊચ્ચગોત્ર (૩) યશનામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે. પ્રશ્ન ૭૭. દેવદ્રિકાદિ ૩૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે શાથી બંધાય ? દેવદ્રિકાદિ ૩૦ પ્રકૃતિઓ શુભ (પુણ્ય) હોવાથી પુણ્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ વિશુદ્ધિમાં જીવો હોય ત્યારે બંધાય છે. તે વિશુદ્ધિ પ્રકૃતિના બંધના અંત સમયે ક્ષપક જીવોને હોય છે. For Personal and Private Use Only ઉત્તર . ઉત્તર ૪ Jain Educationa International આઠમા www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy